SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા નેમિજિણેસર નેહલ્યું પાલિઉ દુરગતિ નવભવન લિઉં રાજીમતીના વાંછિત ફલ્યા બે જણ મુગતી હમલીયા રે. | ૮૧ || હ આ હમચડી કાવ્યમાં નેમ-રાજુલના જીવનનો પરિચય થાય છે. કવિએ નેમકુમારના પાત્રને વિકાસ કરીને અંતે રાજિમતીના સંયમ અને મુક્તિને મહત્વની ગણાવી છે. હમચડી પ્રકારની સુગેય પદ્યરચના નોંધપાત્ર છે. કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતને આધારે આ હમચડીનું લખાણ તૈયાર કર્યું છે. ૧. જૈન ગૂર્જર કવિઓ . ભા. ૨ | ૨૦૪ ૨. જિન ગુણ મંજરી પા. ૪૬૦ ૩. જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ | ૨૦૬ ૨૦. પદ્યાત્મક લોકવાર્તા. કથા-વાર્તા-સમાનાર્થી શબ્દો છે. પ્રાકૃતમાં કહા શબ્દ કથાનો સંદર્ભ દર્શાવે છે. ધર્મગ્રંથોમાં ધર્મકથા છે તેવી સમાજજીવનની સામાજિક કથાઓ છે. આખ્યાન પ્રકારનો પ્રભાવ પણ કથા સાહિત્ય પર વિશેષ પડ્યો છે. સંસ્કૃત સાહિત્યની દક્ષકુમાર ચરિત, પંચતંત્ર, હિતોપદેશ, કાદંબરી વગેરેમાં આડ કથાઓ છે. જૈન રાસ કૃતિઓમાં એક પાત્ર બીજા પાત્રને પોતાનું વક્તવ્ય કહે છે તેમાં પણ કથાનાં લક્ષણો નિહાળી શકાય છે. જૈન કથાઓમાં મુખ્ય કથા સાથે ગૌણ કથાઓ પણ જોવા મળે છે. અને તેમાં પૂર્વજન્મનાં વિવિધ પ્રસંગો કથારૂપે સ્થાન ધરાવે છે. ધર્મકથાઓ જૈન, બૌદ્ધ, હિન્દુ અને અન્ય ધર્મમાં પણ ગૌરવપ્રદ સ્થાન ધરાવે છે તેમાં જાતિ, ચાતુર્ય, ઉપદેશ, સિદ્ધાંતો વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. કથા સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન સ્થાન પ્રાપ્ત કરાવે તેવી ગુણાઢ્ય કવિની “બૃહદ્ કથા છે આ કવિ શાલિવાહન રાજાના સમયમાં રાજદરબારના કવિ તરીકે પ્રસિદ્ધ હતો. એક લાખ શ્લોક પ્રમાણ ગુણાઢ્યની કથા લોકવાર્તામાં ઉચ્ચ કોટિની છે. કવિ સોમદેવની કથા સરિત્સાગર અને ક્ષેમેન્દ્રની બૃહદ્ કથામંજરી આ કથા સાહિત્યના વિશિષ્ટ પ્રકારના ઉદાહરણરૂપ છે. કથાઓનો વિચાર કરતાં એમ લાગે છે કે સંસ્કૃત અને પ્રાકૃતમાં આવી કથાઓ રૂપાંતર રૂપે પ્રગટ થઈ છે ત્યારપછી મધ્યકાલીન સાહિત્યમાં લોકકથા રૂપે તેનો વિકાસ થયો છે. આ કથાઓ પ્રેમ કથા- અદભૂત કથા, કૌતુક પ્રધાન અને ચમત્કારયુક્ત હતી. કથાની સાથે લોકશિક્ષણ ધર્મના સિદ્ધાંતો અને નીતિપૂર્ણ જીવન જીવવાનો બોધ પ્રાપ્ત થતો હતો. કથા સાહિત્યની વિરાટ સૃષ્ટિ વિશ્વના વિવિધ દેશો અને પ્રાંતમાં વિસ્તાર પામી છે અને બહુજન સમાજને આનંદ સાથે ઉત્તમ કોટિના જ્ઞાનમાર્ગની માહિતી પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શક બની છે. આ ભૂમિકાને આધારે પદ્યાત્મક લોકવાર્તાની માહિતી આપવામાં આવી છે. પદ્યાત્મક લોકવાર્તા (પદ્યવાર્તા કથા) મધ્યકાલીન સાહિત્યમાં કવિઓએ પદ્યને જ અભિવ્યક્તિનું માધ્યમ બનાવીને વૈવિધ્યપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy