SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઘડી આશામહી વહેતું ઘડી અંતે નિરાશા છે, વિવિધ રંગો બતાવે તું હસે તેને રડાવે તું. | ૨ || કેઈની લાખ આશાઓ ઘડીમાં ધુળધાણી થઈ, પછી પાછી સજીવન થઈ રહેલાને હસાવે તું. | ૩ || રહી મશગુલ અભિમાને સદા મોટાઈ મન ધરતા, નીડરને પણ ડરાવે તું ન ધાર્યું કોઈનું થાતું. || ૪ || વિકટ રસ્તા અને તારા અતિ ગંભીર ને ઊંડા, ન મર્મ કોઈ શકે જાણી અતિ જે ગુઢ અભિમાની. | ૫ || સદાચારી જ સન્તોને ફસાવે તું રડાવે તું, કરે ધાર્યું અરે તારૂં બધી આલમ ફના કરતું. | ૬ | અરે આ નાવ જીંદગીનું ધર્યું છે હાથમેં તારે, ડુબાવે તું ઉગારે તું શ્રી શુભવીર વિનવે તુજને. || ૭ || (પા. ન. ૧૯૨) આચાર્ય યશોભદ્રસૂરિ ઔપદેશિક સઝાય આ જીવન એળે જાય છે ભગવાનને ભજશો કયારે ? આયુષ્ય ઓછું થાય છે ભગવાનને ભજશે ક્યારે ? ઘરની સ્ત્રી ઘરેણાં માગે નાનો કીકો છાતીએ લાગે, સૌ સ્વાર્થમાં રાચે છે. ભગવાનને. || ૧ || નોકર ચાકર સેવા કરતાં હોઠે એનાં નામો રમતાં, એ રામો ઘાટી ભૂલીને ભગવાનને. | ૨ || રંક જનો પર છરી ચલાવી શેઠ બન્યો તું શક્તિશાળી, એ નિર્દયતાને છોડીને ભગવાનને. | ૩ || ઝટપટ દોટ મોટર તારી લક્ષ્મી છે વૈભવ છે ભારી, પણ ખાલી હાથે જવું છે ભગવાનને. || ૪ || કપડાં સફાઈવાલાં છે પણ અંતરમાં કાળાં જાળાં છે, નિર્મલ અંતરને કરવાને ભગવાનને. | ૫ || સુખ શાંતિ સદાયે માગો છો પણ ધર્મધ્યાનથી ભાગો છો, અનુપમ સુખ મેળવવાને ભગવાનને. નેમ વિજ્ઞાનસૂરિ સારા વાચક કસ્તુર ગુર સુખકારા, યશોભદ્ર કહે છે. ચેતન ભગવાનને. || ૭ || (પા. નં. ૧૭૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy