SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [૨૩] ન કરવું એવો નિયમ, માત્ર કૌતુકથી જ લીધો હતો તે પણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ અને તેથી નિયમ સફળ થયો. જે પુણ્યને અર્થે નિયમ લે તો તેનું કેટલું ફળ કહેવું ? કહ્યું છે કે પુણ્યની ઈછા કરનાર પુરુષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કરવો. તે ગમે તેટલે ના હોય તે પણ કમલછીની માફક ઘણું લાભને માટે થાય છે. પરિગ્રહ પરિમાણ વ્રતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેણીનું દષ્ટાન્ત આગળ કહીશું. નિયમ લેવાની વિધિ. પ્રથમથી મિથ્યાત્વનો ત્યાગ કરવો, જૈન ધર્મ સત્ય કરી માન, દરરોજ યથાશક્તિ ત્રણ વાર કે બે વાર કે એક વાર જિનપૂજા કે જિનેશ્વર ભગવંતનાં દર્શન કરવા કે આઠે થયે કે ચારે થયે ચૈત્યવંદન કરવા વિગેરેને નિયમ લેવો. એવી રીતે કરીને જો ગુરુની જોગવાઈ હોય તો તેમને વૃદ્ધવંદન, લઘુવંદનથી વાંદરા અને ગુરુની જોગવાઈ ન હોય તે પણ પિતાના ધર્માચાર્ય(જેનાથી ધર્મને બેધ થયેલ હોય તે)ને તેમનું નામ દઈ દરરોજ વંદન કરવાનો નિયમ રાખ. જેમાસામાં, પાંચ પર્વણીમાં અષ્ટ પ્રકારી પૂજા અથવા સ્નાત્ર પૂજા કરવાન; યાજજીવ દર વર્ષે નવું અન્ન આવે તેનું નૈવેદ્ય કરી પ્રભુ આગળ ધરી પછીથી ખાવાને; તેમજ દરવર્ષે જે નવાં ફળફૂલ આવે તે પ્રભુને ચડાવ્યા પછી વાપરવાનો, દરરોજ સોપારી બદામ વિગેરે ફળ (ચડાવવાનો); આષાઢી, કાર્તિકી અને ફાગણની પુનમ તથા દીવાળી પર્યુષણ વિગેરે મેટી પર્વણીમાં પ્રભુ આગળ અe મંગલિક (અક્ષતની ઢગલીઓ ) કાઢવાનો, નિરંતર પર્વણીમાં કે વર્ષમાં કેટલીક વાર હરેક માસે ખાદિમ, સ્વાદિમાદિક ઉત્તમ વસ્તુઓ જિનરાજની પાસે ચડાવીને કે ગુરુને વહાવરાવીને પછીજ ભજન કરવાનો; દરમાસે કે દરવર્ષે કે દેરાસરની વર્ષગાંઠ કે પ્રભુના જન્મ કલ્યાણકાદિકે દેરાસરે મોટા આડંબર મહત્સવ પૂર્વક પ્રવજા ચડાવવાને; પ્રતિવર્ષે સ્નાત્ર પૂજા, અષ્ટ પ્રકારી તથા મોટી પૂજા (અષ્ટોત્તરી પ્રમુખ) ભણાવવાને; તેમજ રાત્રિ જાગરણ કરવાનો નિરંતર કે ચોમાસામાં કેટલીક વાર દેરાસરમાં પ્રમાર્જન કરાવવાને, ચુને ધોળાવવાનો, તથા ચિત્રામણું કરાવવાને પ્રતિવર્ષે કે પ્રતિમાસે દેરાસરમાં અંગલુછણ, દીવા માટે સુતર કે રૂની પુણી, દેરાસરના ગભારાની બહારના કામ માટે તેલ, ગભારાના અંદરના માટે ઘી અને દીવાઢાંકણાં, પંજણી, છેતીયાં, અંતરાસણ, વાળાકુચી, ચંદન, કેસર, અગર, અગરબત્તી વિગેરે કેટલીક વસ્તુઓ સર્વ જનના સાધારણ ઉપયોગ માટે મૂકવાને; પિષધશાળા ઉપાશ્રયમાં કેટલાંક ધોતીયો, અંતરાસણ, કટાસણું (મુહપત્તિ), નવકારવાળી, ચરવળા, સુતર, કંદરા, રૂ, કાંબળી પ્રમુખ મૂકવાને; વરસાદના વખતે શ્રાવક વિગેરેને બેસવા માટે કેટલાક પાટ, પાટલા, બાજઠ કરી શાળામાં મૂકવાનો; પ્રતિવર્ષે વસ્ત્ર આભૂષણાદિકથી કે વધારે ન બની શકે તે છેવટે સુતરની નવકારવાળીથી *ગુરુને વંદન વિધિ આ ગ્રંથમાં આગળ કહેવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy