SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] श्राद्धविधिप्रकरण । પ્રતિક્રમણ વખતે કરવો તેનો નિર્ણય કોઈ ગ્રંથમાં ન દેખવાથી (લખ્યું નથી, તેથી બહુશ્રુત પાસે જાણવા યોગ્ય છે. વિવેકવિલાસમાં તો વળી સ્વનિવિચાર વિષે એમ લખેલું છે કે – સારું સ્વપ્ન દેખવામાં આવ્યા પછી સૂવું નહીં ને દિવસ ઊગ્યા પછી ઉત્ત ગુરુની પાસે જઈને વન કહેવું અને નઠારું સ્વપ્ન દેખીને પાછું તરત સૂઈ જવું ને કોઈને પણ કહેવું નહીં. સમધાતુ (વાયુ, પિત્ત, કફ એ ત્રણે જેને બરાબર ) હે પ્રશાંત (શીળ પરિણમી ) હોય, ધર્મપ્રિય હાય, નીરોગી હોય, જિતેંદ્રિય હાય, એ પુરુષને સારાં કે નઠારાં સ્વપ્ન ફળ આપે છે. ૧ અનુભવેલું, ૨ સાંભળેલું, ૩ દીઠેલું, ૪ પ્રકૃતિ બદલાવાથી, ૫ સ્વભાવથી, ૬ ઘણી ચિંતાથી, ૭ દેવના પ્રભાવથી, ૮ ધર્મના મહિમા ૯ પાપની અધિકતાથી, એમ નવ પ્રકારનાં સ્વપ્ન આવે છે. આ નવ પ્રકારનાં સવાર માંથી પહેલાંનાં છ પ્રકારનાં સ્વપ્ન શુભ હોય કે અશુભ હોય પણ તે બધાં નિર સમજવાં અને પાછળનાં ત્રણ પ્રકારનાં સ્વપનો ફળ આપે છે. રાત્રિના પહેલા પ્રહરે સ્વ જોયું હોય તો બાર માસે ફળ આપે, બીજે પ્રહરે જોયું હોય તે છ માસે ફળ આ ત્રીજે પ્રહરે જોયું હોય તે ત્રણ માસે ફળ આપે અને ચોથે પ્રહર જોયું હોય એક માસે ફળ આપે છે. પાછલી બે ઘડી રાત્રે સ્વપ્ન જોયું હોય તો ખરેખર દશ દિવ માં ફળ આપે, અને સૂર્યોદય વખતે આવ્યું હોય તે તત્કાળ ફળ આપે એકી સ ઘણાં સ્વપ્ન જોયાં હય, દિવસે સ્વપ્ન જોયું હોય, ચિંતા અથવા વ્યાધિથી જોયું છે. અને મળમૂત્રાદિકની પીડાથી ઉત્પન્ન થયું હોય તો તે સવ (સ્વપ્ન) નિરર્થક જાણ પહેલાં અશુભ દેખીને પછી શુભ અથવા પહેલાં શુભ અને પાછળથી અશુભ સ્વપ્ન દે તે તેમાં પાછળનું જ સ્વપ્ન ફળ આપે છે. અશુભ સ્વપ્ન દીઠું હોય તો શાંતિક કુ કરવાં. ” સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં પણ એમ લખેલું છે કે;–“નઠારું સ્વપ્ન દેખે થોડી રાત્રિ હોય તો પણ પાછું સૂઈ જવું અને તે કોઈની પાસે કોઈ પણ વખતે કહે નહીં, તેથી તે ફળતું નથી.” સ્વપ્ન દીઠા પછી તરત જ ઊઠીને જિનેશ્વર ભગવાનનું ધ્ય કરે અથવા નવકાર ગણે તે તે સારું ફળ આપે. ભગવાનની પૂજા રચાવે, ગુરુભ કરે, શક્તિ પ્રમાણે નિરંતર ધર્મમાં તત્પર થઈને તપ કરે તો નઠારું સ્વપ્ન હોય તે સારું સ્વપ્ન થાય છે (અથોત તેનું શુભ સ્વપન જેવું ફળ થાય છે.). દેવ, ગુરૂ, તી અને આચાર્યનું નામ દઈ સ્મરણ કરી જે નિરંતર સૂવે તે કોઈ દિવસે પણ નઠ સ્વપ્ન દેખે નહીં. પિતાને દાદર (Ringworm) વિગેરે થયું હોય તો ઘૂંક ઘસવું. એ શરીરના અવય દઢ થાય તે માટે બે હાથથી અંગમર્દન કરવું. પ્રાત:કાળે પુરૂષ પિતા જમણે હાથ અને સ્ત્રી પિતાને ડાબે હાથ પુણ્ય પ્રકાશક હોવાથી જુએ.” માતા, પિતા અને વૃદ્ધ ભાઈ પ્રમુખને જે નમસ્કાર કરે તેને તીર્થયાત્રાનું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy