SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક૨૨ ]. શ્રાવિધિવ વૈભાર પર્વત, સમેત શિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરત ચક્રવતીએ ઘણા જિનપ્રાસાદ, અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણુની તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીયે, સગર ચક્રવતી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા, હરિણુ ચક્રવતીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી. સંપ્રતિ રાજાએ પણ સો વર્ષ આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના સારૂ છત્રીસ હજાર નવાં તથા બાકીનાં જીણુંદ્વાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગવદ્ધન પર્વત ઉપર સાડા ત્રણ ક્રોડ સોના મહેર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુકત મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું કુમારપાળે તે ચોદસ રુંવાલીશ નવાં જિનમંદિર તથા સોળસે જીર્ણોદ્ધાર કરાવ્યા. છનું કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીસ આંગળ ઊંચી મૂળનાયકજીની પ્રતિમા અરિષ્ઠરત્નમયી હતી. ફરતી બહાર દેરીઓમાં ચોદ ભાર પ્રમાણુની ચાવીશ રત્નમથી, ચોવીશ સુર્વણમયી અને ચોવીશ રૂપામથી પ્રતિમાઓ હતી. વરતુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર, અને બાવીસે જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યા, પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યા. તેમાં સુરગિરિને વિષે ચિત્ય નહિ હતું, તે બનાવવાનો વિચાર કરી વિરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતાને સારૂ પેથડ શાહે માંધાતાપુરમાં તથા કારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી હેમાદે તુટમાન થયે અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી પાયે ખોદ્યો અને મીઠું પાણી નીકળ્યું ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ બંધાવે.” તે વાત જાણતાં જ રાતોરાત પેથડ શાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું, આ ચૈત્ય બનાવવા સારુ સોનૈયાથી ભરેલી બત્રીશ ઊંટડીઓ મોકલી, પાયામાં રાશી હજાર ટંકનું ખરચ થયું. ચિત્ય તૈયાર થયું ત્યારે વધામણું આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડ વિહાર બન્યો. વળી તે પેથડે જ શત્રુંજય પર્વત ઉપર શ્રી કષભદેવ ભગવાનનું ચિત્ય એકવીશ ઘડી પ્રમાણ સુવર્ણથી ચારે તરફ મઢાવીને મેરુ પવર્તની માફક સુવર્ણમય કર્યું. ગિરનાર પર્વતના સુવર્ણમય બલાનકનો સંબંધ નીચે પ્રમાણે છે – ગઈ વીશીમાં ઉજજયિની નગરીને વિષે ત્રીજા શ્રી સગર તીર્થકરને કેવળીની પર્ષદો જોઈ નરવાહન રાજાએ પૂછયું કે, “હું ક્યારે કેવળી થઈશ ? ” ભગવાને કહ્યું આવતી વીશીમાં બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના તીર્થમાં તે કેવળી થઈશ.” નરવાહન રાજાએ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે બ્રહ્મ થઈ શ્રી નેમિનાથ ભગવાનની વામૂર્તિકામય પ્રતિમાં કરી દશ સાગરોપમ સુધી તેની પૂજા કરી. પોતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy