SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૦૬ ] કરવું શું ?” દેવતાએ કહ્યું, “હવે તું ગૃહસ્થપણામાં કાર્યોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા કરાવ એમ કરવાથી તને આવતે ભવે ધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા જઈ નમસ્કાર કરી મહા હિમવંત પર્વતથી આવેલા શીર્ષ ચંદનવડે તેવી જ બીજી પ્રતિમા તૈયાર કરી. પછી પ્રતિષ્ઠા કરી સર્વોગે આભૂષણે પહેરાવી તેની પુષાદિક વસ્તુવડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના ડાભડામાં રાખી. પછી એક વખતે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાને ડાબડે સિંધુસૌવીર દેશમાંના વીતભયપત્તનમાં લઈ જા, અને ત્યાંના ચોટામાં દેવાધિદેવની પ્રતિમા .” એવી ઉદ્દઘોષણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું ત્યારે તાપસને ભક્ત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણું દશનીએ પોતપોતાના દેવનું સ્મરણ કરી તે ડાભડા ઉપર કુહાડાવડે પ્રહાર કરવા લાગ્યા, અને કુહાડા ભાંગી ગયા પણ ડાબો ઉઘડ્યો નહિ. તેથી સર્વે લેકે ઉદ્વિગ્ન થયા. બપોરનો અવસર પણ થઈ ગયે. એટલામાં પ્રભાવતી રાણીએ રાજાને ભેજન કરવા બોલાવવા માટે એક દાસી મોકલી. તે જ દાસીને હાથે સંદેશો મોકલી રાજાએ પ્રભાવતીને કોતુક જોવાને સારૂ તેડાવી. પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, “આ ડાબડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, પણ બીજા કેઈ નથી. હમણાં કૌતુક જુવો.” એમ કહી રાણીએ યક્ષ કર્દમવડે ડાબડા ઉપર અભિષેક કર્યો અને પુપની એક અંજલી મૂકીને કહ્યું કે, “દેવાધિદેવ મને દર્શન આપે.” એમ કહેતાં જ પ્રભાતસમયમાં જેમ કમળકલિકા પોતાની મેળે ખીલે છે તેમ ડાબડે પોતાની મેળે ઉઘડી ગયો! નહિ સુકાઈ ગએલાં ફૂલની માળાવાળી પ્રતિમા અંદરથી હાર દેખાઈ, અને જૈનધર્મની ઘણી ઉન્નતિ થઈ. પછી વહાણવટીને સત્કાર કરી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પિતાના અંત:પુરમાં લઈ ગઈ, અને પોતે નવા બંધાવેલા ચિત્યમાં સ્થાપન કરી દરરોજ ત્રણ ટંક પૂજા કરવા લાગી. એક વખતે રાણના આગ્રહથી રાજા વિણા વગાડતો હતો, અને આપણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું તેથી રાજા ગભરાઈ ગયે, અને વિષ્ણુ વગાડવાની કબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી કપાયમાન થઈ, ત્યારે જ સાજાએ યથાર્થ જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વસ્ત્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું, અને ક્રોધથી દર્પણ વડે દાસીને પ્રહાર કર્યો, તેથી તે (દાસી) મરણને શરણ થઈ. પછી તે વસ્ત્ર પ્રભાવતીએ જોયું તે સફેદ જ દેખાયું, તે દુનિમિત્તથી તથા નૃત્ય કરતા રાજને માથા વિનાનું શરીર દેખાયું, તેથી પિતાનું આયુષ્ય થવું રહ્યું એ રાણીએ નિશ્ચય કર્યો. અને શ્રીહત્યાથી , , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy