SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ [ રૂ૪૮ ] વિપિન | સુશ્રાવક સ્વજનેને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પહોર રાત્રિ ગયા પછી અને મધ્યરાત્રિ થયા પહેલાં પોતાની શરીરપ્રકૃતિને અનુકૂળ આવે તે વખતે સૂવાના સ્થળે જઈને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે થોડી ઊંઘ લે. ઊંઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઈએ? તે વિષે કહે છે. અબ્રા તે સ્ત્રીસંગ તેથી નીરાળા રહેવું; કારણ કે યાજજીવ ચતુર્થ વ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પણ પર્વતિથિ આદિ ઘણા દિવસને વિષે બ્રહ્મચારીપણે જ રહેવું જોઈએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુ જ મહેસું છે. મહાભારતમાં પણ કહ્યું છે કે–હે ધર્મરાજ ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભ ગતિ થાય છે, તે શુભ ગતિ હજારે યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં તે માટે શંકા રહે છે. ચાલતી ગાથામાં નિ એ વિશેષ્ય છે, અને જે એ નિદ્રાનું વિશેષણ છે. તથા એ ન્યાય છે કે, “કેઈ પણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિતના હોય તે તે વિધિ અથવા નિષેધ પિતાને સંબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી “ઊંઘ લેવી હોય તે થોડી લેવી” એમ અહિં કહેવાનો ઉદેશ છે, પણ ઊંઘ લેવી એ કહેવાને ઉદ્દેશ નથી; કારણ કે દર્શનાવરણીય કર્મનો ઉદય થવાથી ઊંઘ એની મેળે આવે છે માટે ઊંઘ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે? જે વસ્તુ બીજે કઈ પ્રકારે મળતી નથી, તેનો વિધિ શાસ્ત્ર કહે છે, એવો નિયમ છે. એ વાત અગાઉ એક વખત કહેવામાં આવી છે. બહુ નિદ્રા લેનાર માણસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે. ચોર, વેરી, ધૂતારા, દુર્જન વગેરે લોકો પણ સહજ માં તેની ઉપર હુમલો કરી શકે છે. થોડી ઊંઘ લેવી એ મહાપુરૂષનું લક્ષણ છે. આગમમાં કહ્યું છે કે જે પુરૂષ અલ્પાહારી, અ૫ વચની, અલ્પ નિદ્રા લેનારો તથા ઉપાધિ અને ઉપકરણ પણ અપ રાખનારો હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. નીતિશાસ્ત્રાદિકમાં કહેલો નિદ્રાવિધિ નીચે પ્રમાણે છે – નિદ્રાની વિધિ. જીવોથી ભરેલો, કે, ભાંગેલે, મેલે, પડપાયાવાળે, તથા બાળવાના લાકડાથી બનાવેલ એવો ખાટલે સૂવાના કામમાં વાપરે નહીં. સૂવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જેલાં લાકડાં હોય તે સારાં પાંચ આદિ લાકડાને એગ સુનાર ધણને તથા તેના કુળને નાશ કરે છે. પોતાના પૂજનિક પુરૂષથી ઊંચે સ્થાનકે ન સૂવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર પશ્ચિમ દિશાએ મસ્તક કરીને. વાસની પેઠે લાંબે થઈને, પગ મૂકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું પરંતુ હરિતના દંતની માફક સૂવું. દેવમંદિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે, સ્મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) મસ્તક કરીને ન સૂવું. કલ્યાણની ઈચ્છા કરનાર પુરુષે સૂવાને વખતે મળમૂત્રની શંકા હોય તો તે દૂર કરવી. મળ મૂત્ર કરવાનું સ્થાનક કયાં છે તે બરોબર જાણવું. પાણું પાડે છે કે નહીં તે જેવું અને બારણું બરોબર બંધ કરવું. ઈષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુને ભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy