SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિતીક રિ-ચાર . [ ૩૦૭ ] કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે જે ગૃહસ્થ પિતાની સ્ત્રી, પુત્ર વગેરેને સર્વજ્ઞપ્રણીત ધર્મને વિષે ન લગાડે, તે તે ગૃહસ્થ આ લેકમાં તથા પરાકમાં તેમના કરેલાં કુકર્મોથી લેપાય. કારણ કે, એ લેકમાં રિવાજ છે. જેમ શેરને અન્ન પાન વગેરે સહાય આપનાર માણસ પણ ચેરીના અપરાધમાં સપડાય છે, તેમ ધર્મની બાબતમાં પણ જાણવું, માટે તરવના જાણ શ્રાવકે દરરોજ સ્ત્રી પુત્ર વગેરેને દ્રવ્યથી યથાયોગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખબર લેવી. “જળ ” એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે—દેશનું કરેલું પાપ રાજાને માથે, રાજાનું કરેલું પાપ પુરોહિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભથરને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરૂને માથે છે. સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લેકે ઘરના કામમાં વળગી રહેલા હોવાથી તથા પ્રમાદી વગેરે હોવાને લીધે તેમનાથી ગુરૂ પાસે જઈ ધર્મ સંભળાતો નથી, માટે ગૃહસ્થ ઉપર કહ્યા પ્રમાણે ધર્મોપદેશ કરવાથી તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહિં ધન્ય શ્રેષ્ઠિના કુટુંબનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું – ધન્યશેડનું દૃષ્ટાંત. ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશેઠ ગુરૂના ઉપદેશથી સુશ્રાવક થયે. તે દરરોજ સંધ્યા વખતે પિતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતે હતો. એક પછી એક એમ સ્ત્રી અને ત્રણે પુત્ર પ્રતિબોધ પામ્યા; પણ ચોથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું ફળ ક્યાં છે? એમ કહેતા હોવાથી પ્રતિબધ ન પામે. તેથી ધન્ય શ્રેણીના મનમાં ઘણે ખેદ થતું હતું. એક વખતે પડેશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે ધર્મ સંભળાવ્યું અને એ ઠરાવ કરી રાખ્યું કે, દેવતા થઈને ત્યારે મહારા પુત્રને પ્રતિબંધ પમાડ.” તે વૃદ્ધ સ્ત્રી મરણ પામીને સૌધર્મ દેવલેકે દેવી થઈ. પછી તેણે પિતાની દિવ્ય દ્ધિ વગેરે દેખાડીને ધન્ય શ્રેષ્ઠિના પુત્રને પ્રતિબંધ પમાડ્યો. આ રીતે ઘરના સ્વામીએ પિતાના સી પુત્ર વગેરેને પ્રતિબંધ કરે. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબંધ ન પામે, તે પછી ઘરના ધણીને માથે દોષ નથી. કેમકે–સર્વે શ્રોતા જનેને હિતવચન સાંભળવાથી ધર્મ મળે જ છે, એ નિયમ નથી, પરંતુ ભવ્ય જીવો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગાથાને વિસ્તારપૂર્વક અર્થ છે. (૯) पायं अबभविरओ, समए अप्पं करेइ तो निदं ॥ निद्दोवरमे थीतणु-असुइत्ताई विचिंतिजा ॥ १० ॥ તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રીસગથી છૂટા રહીને છેડે વખત ઊંઘ લેવી. અને ઊંઘ ઊડી જાય, ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy