SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन-कृत्यप्रकाश । [ ૨૭૨] પિતાનું હિત ઇચ્છનારા લેકેએ ધનનો વ્યય કરનારા, રાજાના, દેવસ્થાનના અથવા ધર્મ ખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લોકોની સાથે લેણદેણનો વ્યવહાર ન કર, અને જ્યારે આમ છે તે રાજાની સાથે વ્યવહાર ન જ કરે એમાં તે કહેવું જ શું? રાજાના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લોકો ધન લેવું હોય તે વખતે માત્ર પ્રાયે પ્રસન્ન સુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ બેસવા આસન, પાનબીડાં આદિ આપી ટે–દેખાડવાને ભભકો દેખાડે છે, અને ભલાઈ ઉઘાડી કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે અમે ફલાણું તમારું કામ નહોતું કર્યું?” એમ કહી પોતે કરેલે તલના ફેસરા સરખે યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વના દાક્ષિણ્યને તેજ વખતે મૂકી દે છે. એ તેમને સવભાવ જ છે. કહ્યું છે કે-૧ બ્રાહમણમાં ક્ષમા, ૨ માતામાં દ્વેષ, ૩ ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિયપણું એ ચારે અનિષ્ટ જાણવાં. એટલું જ નહીં, પણ તે ઊલટા લેણદારને ખોટા તહોમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે. કહ્યું છે કે–લેકે પિસાદાર માણસ ઉપર ખોટાં તહોમત મૂકી તેને હેરાન કરે છે, પણ નિર્ધન માણસ અપરાધી હોય તે પણ તેને કેઈ ઠેકાણે નુકસાન થતું નથી. રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ કે, કઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તે તરવાર દેખાડે છે, તે પછી સ્વભાવથી જ ક્રોધી એવા રાજાઓની શી વાત કહેવી? આ રીતે સરખ ધંધો કરનારા નાગર લાકના સંબંધમાં ઉચિત આચરણું કહ્યું. સરખો ધંધ ન કરનારા નાગર લેકેની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણે જ યથાયોગ્ય રીતે વર્તવું. અન્ય ધર્મીઓનું ઉચિત. નાગર લોકોએ એક બીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું, તે કહ્યું. હવે, અન્યદર્શની લેકેની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. અન્યદર્શની ભિક્ષુકે આપણે ઘેર ભિક્ષાને અર્થે આવે તો તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની શિક્ષાને અર્થે આવે તે તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું. જે કે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેના ગુણને વિષે પક્ષપાત નથી તે પણ ઘેર આવેલાનું ગ્ય આદરમાન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. આચાર ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી ગ્યતા હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy