SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૭૨ ] અધિકાળ ! સંબંધમાં યોગ્ય આચરણ આ રીતે જાણવું. પુરુષે તમને–નગરમાં રહેનાર લોકોને દુખ આવે પોતે દુઃખી થવું, તથા સુખ આવે પિતે સુખી થવું તેમજ તેઓ સંકટમાં હોય તે પોતે પણ સંકટમાં પડ્યા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તે પોતે પણ ઉત્સવમાં રહેવું. એમ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાને લેકે જે કુસંપમાં રહે, તે રાજાના અધિકારીઓ તેમને, શીકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે. મહાટું કાર્ય હોય તે પણ પોતાની મહેટાઈ વધારવા સારૂ સર્વે નાગરોએ રાજાની ભેટ લેવા જૂદા જૂદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તો તે ઉઘાડી ન પાડવી, તથા કેઈએ કેઈની ચાડી ન કરવી. એકેક જણ જૂદા જૂદ રાજાને મળવા જાય છે તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે, માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તે પણ યવનની પેઠે કેઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શમ્યા ઉપર સવે સુવાને માટે વિવાદ કરનારા પાંચ મૂર્ખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનંતિ વગેરે કરવા ન જવું. કેમકે ગમે એવી અસાર વસ્તુ હોય તે પણ તે જે ઘણી ભેગી થાય, તે તેથી જય થાય છે. જુઓ તૃણના સમુદાયથી બનેલું દેરડું હાથીને પણ બાંધે છે. મસલત બહાર પાડવાથી કાર્ય ભાંગી પડે છે, તથા વખતે રાજાને કેપ વગેરે પણ થાય છે, માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી. માંહોમાંહે ચાડી કરવાથી રાજા આદિ અપમાન તથા વખતે દંડ વગેરે પણ કરે. તથા સરખા ધંધાવાળા લોકોનું કુસંપમાં રહેવું નાશનું કારણ છે. કહ્યું છે કેએક પેટવાળા, બે ડોકવાળા અને જુદાં જુદાં ફળની ઈચ્છા કરનારા ભારંડ પક્ષીની પેઠે કુસંપમાં રહેનારા લોકોનો નાશ થાય છે. જે લોકો એક બીજાનાં મર્મોનું રક્ષણ કરતા નથી તે રાફડામાં રહેલા સર્પની પેઠે મરણ પર્યત દુઃખ પામે છે. કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તે બાજુ સમાન રહેવું; પણ સ્વજન સંબંધી તથા પિતાની જ્ઞાતિના લોકો ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લંઘન ન કરવું. પ્રબળ લોકેએ દુર્બળ લોકોને ઘણા દાણ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. તથા થોડો અપરાધ હોય તો એકદમ તેને દંડ ન કરવો. દાણ, કર વગેરેથી પીડાયેલા લેકે માંહમાંહે પ્રીતિ ન હોવાથી સંપ મૂકી દે છે. સંપ ન હોય તે ઘણા બલિષ્ટ લેકે પણ વગડામાંથી જુદા પડેલા સિંહની પેઠે જ્યાં ત્યાં પરાભવ જ પામે છે માટે મહેમાહે સંપ રાખવો એ જ સારું છે. કેમકે-માણસને સંપ સુખકારી છે. તેમાં પણ પિતા પોતાના પક્ષમાં તે અવશ્ય સંપ હે જ જોઈએ. જુઓ ફેતરાથી પણ જૂદા પડેલા ચોખા ઊગતા નથી. જે પર્વતને ફેડી નાંખે છે તથા ભુમિને પણ વિદ્યારે છે, તે જળના પ્રવાહને તુણુને સમુદાય રોકે છે. એ સંપને મહિમા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy