SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ હિમાચકa. [ રહ]. અનુસારથી તેમને સદે એવું ભેજન, બિછાનું, વસ્ત્રો, વિટાણું વગેરે ચીજો આપવી. એ તથા એવાં બીજાં પિતાજીનાં કામ સુપુત્રે વિનયથી કરવાં, પણ કેઈના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વગેરેથી ન કરવાં. અને તે પોતે કરવાં, પણ ચાકર વગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે–પુત્ર પિતા આગળ બેઠે હોય ત્યારે તેની જે શોભા દેખાય છે, તે શોભાને સેમિ ભાગ પણ તે ઊંચા સિંહાસન ઉપર બેસે તે પણ કયાંથી આવે ? તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજ્યાભિષેકને અવસરેજ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાંજ “હાજી, આપની આજ્ઞા પ્રમાણ છે. આજ્ઞા માફક હમણાંજ કરું છું. ” એમ કહી ઘણું માનથી તે વચન સ્વીકારવું પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી, માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણીવાર લગાડવી અથવા કહેલું કામ અધુરૂં મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહીં. સુપુત્રે દરેક કામમાં હરેક રીતે પિતાના મનને પસંદ પડે તેમ કરવું, કેમકે પિતાની બુદ્ધિથી કાંઈ ખાસ કરવા જેવું કામ ધાર્યું હોય તો પણ તે પિતાને મનગમતું હોય તેજ કરવું. તથા સેવા, ગ્રહણ આદિ તથા લૌકિક અને અલૌકિક સર્વ વ્યવહારમાં આવનારા બીજા સર્વ જે બુદ્ધિના ગુણે તેમનો અભ્યાસ કરે. બુદ્ધિને પહેલે ગુણ માબાપ વગેરેની સેવા કરવી એ છે. બહુ જાણુ એવા માબાપ વગેરેની સારી સેવા કરી હોય તે, તેઓ દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે-જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા ન કરનારા અને પુરાણું તથા આગમ વિના પિતાની બુદ્ધિથી જૂદી જૂદી કલ્પના કરનારા લેકેની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી વૃદ્ધ જે જાણે છે, તે કરોડો તરૂણ લકે પણ જાણી શકતા નથી. જુઓ, રાજાને લાત મારનાર માણસ વૃદ્ધના વચનથી પૂજાય છે. વૃદ્ધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદ્ધને જ પૂછવું. જુએ, વનમાં હંસનું ટેળું બંધનમાં પડયું હતું તે વૃદ્ધના વચનથી છૂટયું. તેમજ પિતાને મનમાંને અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહે. પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્તે. જે કદાચ પિતા કે કામ કરવાની ના કહે છે તે ન કરે, કઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તે પણ પિતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરુત્તર ન કરે. જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલણ માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા તેમાં પણ દેવપૂજા કરવી, સદગુરુની સેવા કરવી, ધર્મ સાંભળ, વ્રત પચ્ચખાણ કરવું, ષડાવશ્યક વિષે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકેને ઉધાર કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy