SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ હિન-અકરા [૨૭] (શ્રેણી) નિરપરાધી છે. સર્પ અજ્ઞાની તથા સમડીના મોઢામાં સપડાયેલ હોવાથી પરવશ છે, સમડીની જાત જ સર્પને ભક્ષણ કરનારી છે, અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કેને વળગું !” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણને વળગી તેથી તે કાળી કૂબડી અને કોઢ રેગવાળી થઈ. આ રીતે પારકા બેટા દેષ બલવા ઉપર લેક્ટ્રસિદ્ધ દષ્ટાંત છે. સાચા દોષ પણ ન બેલવા અંગે ત્રણ પુતળાનું દષ્ટાંત. હવે કોઈ રાજાની આગળ કઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતેએ પરીક્ષા કરી. તે એમ કે – એકના કાનમાં દોરો નાખે, તે તેના મુખમાંથી બહાર નીકળે. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી-પુતળીની કિસ્મત કુટી કેડીની કરી. બીજી પુતળીના કાનમાં નાંખે દોરે તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો. તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિસ્મત લાખ સોનૈયા કરી. ત્રીજીના કાનમાં નાંખેલે દોરે તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિસ્મત પંડિતે કરી શક્યા નહીં, એ સાચા દોષે પણ ન કહેવા ઉપર દષ્ટાંત છે. લેકવિરૂદ્ધ આચરવું નહી. તેમજ સરળ લેકેની મશ્કરી કરવી, ગુણવાન લેકની અદેખાઈ કરવી, કૃતજ્ઞ થવું, ઘણું લેકની સાથે વિરોધ રાખનારની સેનત કરવી, લેકમાં પૂજાએલાનું અપમાન કરવું, સદાચારી લોક સંકટમાં આવે રાજી થવું, આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણે ઉજળે અથવા ઘણે મલિન વેષ વગેરે કરવે. એ સર્વ લેકવિરૂદ્ધ કહેવાય છે. એથી આ લેકમાં અપયશ વગેરે થાય છે. વાચકશિરોમણિ શ્રીઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, સર્વ ધમી લોકોને આધાર લોક છે, માટે જે વાત લેકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છોડવી. લેકવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વાત છોડવામાં લેકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય છે, અને સુખે નિર્વાહ થાય છે, વગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે–લેકવિરૂદ્ધ છોડનાર માણસ સર્વ લેકને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમકિત વૃક્ષનું મૂળ છે. ધર્મવિરૂદ્ધ.. હવે ધર્મવિરૂદ્ધ કહીએ છીએ. મિથ્યાત્વ કૃત્ય કરવું, મનમાં દયા ન રાખતાં બળદ વગેરેને મારે, બાંધવો વગેરે. જૂ તથા માંકડ વગેરે તડકે નાંખવા, માથાના વાળ ૩૩. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy