SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ ત્રિ-ચારા ! વગેરે વસ્તુને વિક્રય કરો એ દેશવિરુદ્ધ છે. તેમના શાસ્ત્રમાં કહ્યું છે કે–તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણે જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલેકે તલની પેઠે ઘાણીમાં પલાય છે. કુળની રીતભાત પ્રમાણે તે ચૌલુકય વગેરે કુળમાં થએલા લોકોને મદ્યપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશી લેકે આગળ તેમના દેશની નિંદા કરવી વગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે. કાલવિરૂદ્ધ હવે કાળવિરૂદ્ધ આ રીતે –શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણી ટાઢ પડતી હોય ત્યાં, અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં, અથવા વર્ષાકાળમાં જ્યાં ઘણું પાણી, ભેજ અને ઘણેજ ચીકણે કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કેકણ વગેરે દેશોમાં પિતાની સારી શક્તિ તથા કોઇની સારી સહાઓ વગેરે ન છતાં જવું; તથા ભયંકર દુકાળ પડ્યો હોય ત્યાં, બે રાજાઓની માંહોમાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માર્ગ બંધ પડ્યો હોય ત્યાં, અથવા પાર ન જઈ શકાય એવા હેટા જંગલમાં, તથા સમીસાંઝ વગેરે ભયંકર સમયમાં પિતાની તેવી શક્તિ વિના તથા કોઇની તેવી સહાએ વગેરે વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, નહીં તે બીજો કોઈ અનર્થ સામે આવે, તે કાળવિરૂદ્ધ કહેવાય. અથવા ફાગણ માસ ઉતરી ગયા પછી તલ પિલવા, તિલનો વ્યાપાર કરવા, અથવા તિલ ભક્ષણ કરવા વગેરે, વષોકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી વગેરે, તથા જ્યાં ઘણું જીવાકુળભૂમિ હોય ત્યાં ગાડી ગાડાં ખેડવાં વગેરે. એવો મહટો દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ધ કહેવાય. રાજવિરૂદ્ધ. હવે રાજવિરૂદ્ધ આ રીતેરાજા વગેરેના દોષ કાઢવા, રાજાના માનનીક મંત્રી વગેરેનું આદરમાન ન કરવું, રાજાથી વિપરીત એવા લોકોની સોબત કરવી, વેરીના સ્થાનકમાં લોભથી જવું, વૈરીના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખ, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરો, નગરના આગેવાન લેકેથી વિપરીત ચાલવું, પિતાના ધણીની સાથે નમકહરામી કરવી, વગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુસહ છે. જેમ ભુવનભાનુ કેવળીના જીવરૂપ રોહિણીનું થયું તેમ, તે રહિણુ નિષ્ઠાવાળી તથા ભણેલી, સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી, તેપણ વિકથાના રસથી વૃથા રાણુંનું કુશળપણું વગેરે દે બેલવાથી રાજાને તેના ઉપર રાષ ચઢવો, તેથી ઉત્તમ શ્રેણીની પુત્રી હોવાથી માનીતી એવી રહિણીની જીભના For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy