SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] આિિયકના ૪ અન્યાયથી મેળવેલું ધન અને કુપાત્ર દાન એ બેના વેગથી ચોથા ભાગે થાય છે. એથી માણસ આ લેકમાં પુરુષોને ધિક્કારવા યોગ્ય થાય છે, અને પરલોકમાં નરકાદિક દુર્ગતિમાં જાય છે માટે એ ચે ભાગે વિવેકી પુરુષોએ અવશ્ય તજ. કેમકેઅન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દેષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી કે જે શ્રાદ્ધ કરે છે, તેથી ચંડાલ, ભિલ અને એવા જ (બુર્કસ્સ) હલકી જાતના લેકે ધરાઈ રહે છે. ન્યાયથી મેળવેલું થોડું પણ ધન જે સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે. પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે પણ તેથી કાંઈ ખરું ફળ નીપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતા હોય તે કાલકૂટ નામે ઝેર ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પિતાને નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયે અન્યાય માર્ગે ચાલનાર, કલહ કરનારે, અહંકારી અને પાપકમી હોય છે. અહિં સંકશ્લેષી વગેરેનાં દષ્ટાંત જાણવાં. કશ્રેણીની કથા નીચે પ્રમાણે છે. અન્યાયથી મેળવેલ ધનથી દુખી થનાર જંકશેઠનું દષ્ટાંત. મારવાડ દેશમાં પાલી ગામમાં કાયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં ન્હાનો ભાઈ પાતક ધનવંત અને મહા ભાઈ કાકૂયાક બહુ દરિશ્નો હતે. માટે ભાઈ દરિદ્ધી હેવાથી હાનાને ઘેર ચાકરી કરી પિતાનો નિર્વાહ કરે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલ કાયાક રાત્રિએ સૂઈ રહ્યો. એટલામાં પાતાકે ઓલંભા દઈને કહ્યું કે, “ભાઈ ! આપણું ખેતરોના કયારામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એવો ઠપકો સાંભળી તુરત પિતાની પથારી છોડી કાકૂયાક દરિદ્ધી પારકે ઘેર ચાકરી કરનાર પોતાના જીવની નિંદા કરતો છતે કોદાળા લઇ ખેતરે ગયે; અને કેટલાક લોકોને ફાટી ગએલા કયારડાને ફરીથી સમા કરતા જોઇ તેણે પૂછ્યું કે, “તમે કોણ છે?” તેના જવાબમાં તેમણે કહ્યું કે “અમે હારા ભાઈના ચાકર છીએ.” પાછું કાયાકે પૂછયું કે, “મહારા ચાકર કેઈ ઠેકાણે છે?” તેમણે કહ્યું કે, “વલભીપુરમાં છે” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાં જ કાક્યાક પિતાને પરિવાર સાથે લઈ વલભીપુરે ગયે. ત્યાં ગપુરમાં ભરવાડ લેકે રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તથા તે લેકેની મદદથી જ એક ન્હાની દુકાન કાઢીને રહો કાયાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ કે તેને “કશ્રેણી” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કઈ કાપંટિક શાસ્ત્રમાં કહેલા કલ્પ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલે કલ્યાણરસ તુંબડીમાં લઈ આવતું હતું. એટલામાં વલભીપુરના નજદીક ભાગમાં આવતાં “કાકૂ તુંબડી” એવી વાણું કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી ડરી ગએલા કાર્પેટિકે વલભીપુરના પરામાં ૫ટી એવા કાકૂયાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ મૂકી, અને તે પોતે સોમનાથની યાત્રાએ ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy