SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ તા . . . . . . . . . . . [ ૨૪૪ ] લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મરથ લાભના અનુસારથી સફળ કરવાં, કેમ કે– ઉદ્યમનું ફળ લક્ષમી છે, અને લક્ષમીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે, માટે જે સુપાત્રે દાન ન કરે તો ઉદ્યમ અને લક્ષમી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તો જ પિતે ઉપાર્જન કરેલી લક્ષ્મી તે ધર્મની અદ્ધિ કહેવાય, નહીં તે પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે–દ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ, બીજી ભેગદ્ધિ અને ત્રીજી પાપ દ્ધિ. તેમાં જે ધર્મકૃત્યને વિષે વપરાય છે તે ધર્મદ્ધિ , જે શરીર સુખને અર્થે વપરાય તે ભેગરદ્ધિ અને જે દાનના તથા ભેગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપત્રાદ્ધિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવી પાપથી પાપદ્ધિ પમાય છે. આ વિષય ઉપર નીચેનું દ્રષ્ટાંત વિચારો :– પાપત્રાદ્ધિ અંગે દષ્ટાંત, . વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક સોની-એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવા નીકળ્યા. રાત્રિએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણ પુરુષ તેમણે દીઠો. ચારમાંથી એક જણે કહ્યું. “ દ્રવ્ય છે.” સુવર્ણપુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારૂં છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરુષને તળે પણ સનીએ સુવર્ણપુરુષને કહ્યું. નીચે પડ.” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડે. પછી સોનીએ તેની એક આંગળી કાપી લીધી અને બાકી સર્વ સુવર્ણપુરુષને એક ખાડામાં ફેંક. તે સર્વેએ દીઠો. પછી તે ચાર જણમાંથી બે જણે ભેજન લાવવાને અર્થે ગામમાં ગયા અને બે જણ બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણ બહાર રહેલાને મારવાને અર્થે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખગ્નપ્રહારથી મારી નાંખી પિતે વિષમિશ્રિત અન્ન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણે મરણ પામ્યા. એ પાપઋદ્ધિ ઉપર દષ્ટાંત છે. માટે દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ પુણ્ય તથા સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરે પુણ્ય કરીને પિતાની લક્ષ્મી ધર્મકૃત્યે લગાડવી. સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસરના પુણ્ય ઘણા દ્રવ્યનો વ્યય કરવાથી થાય છે અને તેથી તે શ્રેષ્ઠ પણ કહેવાય છે અને દરરોજ થતાં પુણ્ય ન્હાનાં કહેવાય છે. એ વાત સત્ય છે, તે પણ દરરોજનાં પુ નિત્ય કરતા રહીએ તો તેથી પણ મહેઠું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરનાં પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અપ હોય તથા બીજા એવાં જ કારણ હોય તે પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કરે. કહ્યું છે કે – થોડું ધન હોય ચેડામાંથી થોડું પણ આપવું, પણ મહાટા ઉદયની અપેક્ષા ન રાખવી. ઈચછા માફક દાન આપવાની શક્તિ કયારે કેને મળવાની ? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજેજ કરવું. પાછલે પહેરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું, કારણ કે મૃત્યુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy