SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૪ ]. श्राद्धविधिप्रकरण । દોરીથી તથા લેઢાથી હરિ હણાયે તે ધનુષ્ય, બાણ વગેરેના મૂળ જીવોને પણ હિંસાદિ પાંચ ક્રિયા લાગે એમ કહ્યું છે. વિવેકી પુરુષે કોઈ ઠેકાણે કાંઈ ધનહાનિ આદિ થાય તે, તેથી મનમાં દિલગીર ન થવું. કારણ કે દિલગીરી ન કરવી એ જ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે-દઢ નિશ્ચયવાળે કુશળ, ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનારો માણસ પાછળ લાગે તે લક્ષમી કેટલી દૂર જવાની? જ્યાં ધનનું ઉપાર્જન કરાય ત્યાં થોડું ઘણું પણ ધન તે નાશ પામે જ, ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્વત સરખા ઢગલા મળે, તે પણ વાવેલું બીજ તેને પાછું મળતું નથી. તેમ જયાં ઘણે લાભ થાય, ત્યાં થોડી પણ ખોટ ખમવી જ પડે. કોઈ સમયે દુર્દેવથી ધનની ઘણી હાનિ થાય, તો પણ વિવેકી પુરુષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખેટ ગએલું દ્રવ્ય ધમથે રિસંતવવું. તેમ કરવાનો માર્ગ ન હોય તો તેને મનથી ત્યાગ કરો, અને લેશ માત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે-કરમાયેલું વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થએલે ચંદ્રમાં પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે. એમ વિચાર કરનારા પુરુષે આપત્કાળ આવે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બને હોટા પુરુષોને ભેગવવી પડે છે. જુઓ ચંદ્રમાને વિષે જ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રોને વિષે દેખાતી નથી. હે આમ્રવૃક્ષ! “ફાગણ માસે હારી સર્વ શોભા એકદમ હરણ કરી ” એમ જાણ તું શા માટે ઝાંખું પડે છે? થોડા સમયમાં વસંતઋતુ આવતાં પાછી પૂર્વે હતી તેવી જ હારી શોભા તને અવશ્ય મળશે. આ વિષય ઉપર દષ્ટાંત કહેવાય છે, જે નીચે પ્રમાણે છે આભડ શેઠનું દષ્ટાંત. પાટણમાં શ્રીમાળી નામનો નાગરાજ નામે એક કેમ્બ્રિજ શ્રેષ્ઠી હતી, અને મેલાદેવી નામે તેની સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી હતી ત્યારે નાગરાજ શ્રેણી કોલેરાના રોગથી મરણ પામે. “શ્રેણીને પુત્ર નથી” એમ જાણે રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું ત્યારે મેલાદેવી પોતાને પિયર ધૂળકે ગઈ. ગર્ભના સુલક્ષણથી મેલાદેવીને અમારી પડહ વજડાવવાને દહલે ઉત્પન્ન થયે તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવ્યું પુત્ર થયો તેનું અભય એવું નામ રાખ્યું. તે લોકમાં “ આભડ” એવા નામે પ્રખ્યાત થયે. પાંચ વર્ષને થયે ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજા બાળકોએ એને ઉપહાસથી “નબાપ, નબાપ.” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણું આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછયું. માતાએ સત્ય વાત બની હતી તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે, અને ત્યાં વ્યાપાર કરવા લાગે અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પર. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કોટી ધ્વજ થયે. તેને ત્રણ પુત્ર થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy