SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન-૨૦ચાવવા [ ૨૨ ] અનુક્રમે સમય જતાં માઠા કર્મના ઉદયથી તે આભડ નિધન થયો. પિતાના ત્રણ પુત્ર સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પોતે મણિહારની દુકાન ઉપર મણિ આદિ ઘસવાના કામ ઉપર રહ્યો. તેને એક માપ જવ મળતા હતા. તેને તે પોતે દળીને તથા રાંધીને ખાતો હતો. લક્ષમીની ગતિ એવી વિચિત્ર છે. કહ્યું છે કે જે લક્ષમી સનેહથી ખોળામાં બેસારનાર સમુદ્રના અને કૃષ્ણના રાજમહેલમાં સ્થિર ન રહી, તે લક્ષમી બીજા ઉડાઉ લેકના ઘરમાં શી રીતે સ્થિર રહે? એક સમયે આભડ શ્રીહેમાચાર્યજી પાસેથી પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઊભો થયો. દ્રવ્ય પરિમાણને બહુ જ સક્ષેપ કરેલ જોઈ શ્રી હેમાચાર્યજીએ તેને તેમ કરતાં વાર્યો. ત્યારે નવ લાખ દ્રશ્નનું અને તેના અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણ રાખ્યું. પરિમાણ કરતાં ધન આદિ વૃદ્ધિ પામે તો તેણે ધર્મકાર્યમાં વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં પાંચ દ્રમ્મ એકઠા થયા. એક સમયે આભડે પાંચ દમ આપી એક બકરીના ગળામાં મણિ બાંધે હતું, તે આભડે ઓળખે. તેના કટકા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તૈયાર કરાવ્યા તેથી અનુક્રમે તે પૂર્વે હતું તેવો દ્રવ્યવાન થયે. ત્યારે આભડના કુટુંબના સર્વ માણસો ભેગા થયા. તેના ઘરમાંથી દરરોજ સાધુ મુનિરાજને એક ઘડા જેટલું ઘત વહોરાવતા. પ્રતિદિન સાધર્મિવાત્સલ્ય, સદાવ્રત તથા મહાપૂજા આદિ આભડને ઘેર થતું હતું. વર્ષે વર્ષે સર્વ સંઘની પૂજા બે વાર થતી હતી. તથા નાના પ્રકારનાં પુસ્તક લખાતાં, તેમજ જીર્ણ મંદિરના જીર્ણોદ્ધાર થતા હતા, તથા ભગવાનની મનહર પ્રતિમાઓ પણ તૈયાર થતી હતી એવાં ધર્મકૃત્ય કરતાં આભડની ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંતસમય નજદીક આવે ત્યારે આભડે ધમખાતાનો ચોપડે વંચા, તેમાં ભીમરાજાના સમયના અઠાણું લાખ દ્રશ્મનો વ્યય થએલે તેના સાંભળવામાં આવ્યું. તેથી આભડે દિલગીર થઈને કહ્યું કે મેં કૃપણે એક ક્રોડ ટ્રમ્પ પણ ધર્મકાર્યો વાપર્યા નહીં.” તે સાંભળી આભડના પુત્રોએ તે જ સમયે દશલાખ દ્રમ ધર્મકૃત્યમાં વાપર્યા. તેથી સર્વ મળી એક કોડ અને આઠ લાખ દ્રમ ધર્મ ખાતે થયા. વળી બીજા આઠ લાખ દ્રમ્મ ધર્મને માટે વાપરવાને આભડના પુત્રોએ નિશ્ચય કર્યો. પછી કાળ–સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયે. આ રીતે આભડનો પ્રબંધ કહ્યો છે. પૂર્વ ભવે કરેલા દુષ્કૃતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી ન આવે, તો પણ મનમાં ધીરજ રાખવી, કારણ કે આપત્કાળરૂપ સમુદ્રમાં ડુબતા જીવને ધીરજ વહાણ સમાન છે. તે દિવસ સરખા કોના રહે છે? કહ્યું છે કે આ જગતમાં સદાય સુખી કોણ છે ? લક્ષમી કોની પાસે સ્થિર રહી? સ્થિર પ્રેમ કયાં છે? મૃત્યુના વશમાં કેણ નથી? અને વિષયાસક્ત કોણ નથી ? માઠી અવસ્થા આવે ત્યારે સર્વ સુખનું મૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy