SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન-રચારારા [ ૨૨૨ ] શીવ્ર હાથ આવનારાં, વિન વિનાનાં, પોતાની સિદ્ધિને અર્થે ઘણું સાધન ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શીધ્ર કાર્યની સિદ્ધિ સૂચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લમી પુણ્ય અને પાપમાં કેટલે ભેદ છે? તે જણાવે છે. વ્યાપારમાં વ્યવહારશુદ્ધિ અને તેના ભેદ. વ્યાપારના વ્યવહારની શુદ્ધિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની છે. દ્રવ્યશુદ્ધિ. તેમાં દ્રવ્યશુદ્ધિ તે પંદર કર્માદાન આદિનું કારણ એવું કરિયાણું સર્વથા વજેવું. કહ્યું છે કે ધર્મને પીડા કરનારૂં તથા લેકમાં અપયશ ઉત્પન્ન કરનારૂં કરિયાણું ઘણે લાભ થતો હોય, તે પણ પુણ્યાથી લોકોએ કદિ ન લેવું કે ન રાખવું. તૈયાર થએલાં વસ્ત્ર, સૂતર, નાણું, સુવર્ણ અને રૂપું વિગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વ્યાપારમાં જેમ આરંભ એ થાય, તેમ હમેશાં ચાલવું. દુભિક્ષ આદિ આયે છતે બીજી કઈ રીતે નિર્વાહ ન થતો હોય તો, ઘણા આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચછા મનમાં ન રાખવી. તે પ્રસંગ આવે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરૂની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજજા રાખીને જ તેવાં કાર્ય કરવાં. સિદ્ધાંતમાં ભાવ શ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે–સુશ્રાવક તીવ્ર આરંભ વજે, અને તે વિના નિર્વાહ ન થતો હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખતાં કેવળ નિવહને અર્થે જ તીવ્ર આરંભ કરે, પણ આરંભ પરિગ્રહ રહિત એવા ધન્યવાદને લાયક જીવોની સ્તુતિ કરવી તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખવો. જે મનથી પણ કઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે. એવા ધન્ય મહામુનિએ ત્રણકાટિયે શુદ્ધ આહાર ગ્રહણ કરે છે. કેવા માલને વ્યાપાર ન કરે? નહીં દીઠેલું તથા નહીં પારખેલું કરિયાણું ગ્રહણ ન કરવું. તથા જેને વિષે લાભ થાય કે ન થાય એવી શંકા હોય, અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થએલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારીઓએ પાંતિથી લેવું. એટલે વખતે ખેટ આવે તે સર્વેને સરખે ભાગે આવે, કેમકે–વ્યાપારી પુરૂષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતા હોય તે, તેણે કરિયાણું દીઠા વિના બાનું ન આપવું, અને આપવું હોય તો બીજા વ્યાપારીઓની સાથે આપવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy