SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૦ ] . આ વિધિના .. વાછડો કંઈ નથી. પણ તારા રાજ્યની અધિષ્ઠાયક દેવી છું. તારા ન્યાયની પરીક્ષા કરવા આવી હતી. તું એવું જ ચિરકાળ રાજ્ય નિર્વિઘ ચલાવજે. એમ કહી દેવી અદશ્ય થઈ. રાજાના કારભારીએ તો જેમ રાજા અને પ્રજાને અર્થ સાધન થઈ શકે અને ધર્મમાં પણ વિરોધ ન આવે તેમ અભયકુમાર તથા ચાણકય આદિની જેમ ન્યાય કરે. કહ્યું છે કે, રાજાનું હિત કરતાં લોકોથી વિરોધ થાય, લોકેનું હિત કરતાં રાજા રજા આપી દે, એમ બન્નેને રાજી રાખવામાં માટે વિરોધ થાય પણ રાજા અને પ્રજા, એ બંનેના હિતના કાર્ય કરનાર મળવો મુશ્કેલ છે. એમ બનેના હિતકારક બની પિતાને ધર્મ સાચવીને ન્યાય કરે. વ્યાપાર વિધિ વ્યાપારીઓને ધર્મને અવિરોધ તે વ્યવહારશુદ્ધિ વિગેરેથી થાય છે. વ્યાપારમાં નિર્મળતા હોય (સત્યતાથી વ્યાપાર કરવામાં આવે, તે તેના ધર્મમાં વિરોધ થતો નથી. તેજ વાત મૂલગાથામાં કહે છે – ववहारसुद्धि-देसाइ-विरुद्धच्चाय-उचिअचरणेहिं । ' तो कुणइ अत्यचिंतं, निव्वाहितो निरं धम्मं ॥ ७ ॥ વ્યવહારશુદ્ધથી, દેશાદિકના વિરૂદ્ધના ત્યાગ કરવાથી, ઉચિત આચરણના આચરણ કરવાથી, પિતાના ધર્મનૉ નિર્વાહ કરતાં દ્રવ્યોપાર્જનની ચિંતા કરે. વ્યવહારશુદ્ધિમાં ખરેખર વિચારતાં મન વચન કાયાની નિર્મળતા (સરળતા) છે તેજ નિર્દોષ વ્યાપારમાં મનથી, વચનથી, અને કાયાથી કપટ રાખવું નહીં, અસત્યતા રાખવી નહીં, અદેખાઈ રાખવી નહીં. આથી વ્યવહારશુદ્ધિ થાય છે તેથી તે રાખવાં નહીં. વળી દેશાદિક વિરૂદ્ધનો ત્યાગ કરીને વ્યાપાર કરતાં પણ જે દ્રવ્ય ઉપાર્જન કરાય છે તે પણ ન્યાયપાર્જિત વિત્ત ગણાય છે. ઊચિત આચારના સેવન કરવાથી એટલે લેવડદેવડમાં જરામાત્ર કપટ ન રાખતાં જે દ્રવ્ય ઉપાર્જન થાય તે પણ ન્યાયપાર્જિતવિત ગણાય છે. ઉપર લખેલા ત્રણ કારણથી પોતાનો ધર્મ બચાવીને એટલે પિતે અંગીકાર કરેલા વ્રત પચ્ચખાણ અભિગ્રહનો બચાવ કરતાં ધન ઉપાર્જન કરવું, પણ ધર્મને દૂર મૂકીને ધન ઉપાર્જન કરવું નહીં. લેભમાં મુંઝાઈ જઈને પોતે લીધેલાં નિયમ વ્રત પશ્ચખાણ ભૂલી જતાં ધન કમાવાની દષ્ટિ રાખવી નહીં, કેમકે ઘણા જણને પ્રાયે વ્યાપાર વખતે એમજ વિચાર આવી જાય છે કે, એવું જગતમાં કંઈ નથી, કે જે ધનથી સાધી શકાતું ન હોય, તેટલા જ માટે બુદ્ધિવાન પુરૂષે ઘણાજ પ્રયત્નથી એક માત્ર દ્રવ્ય જ ઉપાર્જન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy