SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દિન-જુવાર [ ૨૦૧]. ગાયને દેખી, તેને કહેવા લાગ્યું કે શું કેઈએ તને પીડા ઉપજાવી છે? તેણીએ માથું ધુણાવીને હા કહ્યાથી રાજા બોલે.–ચાલ મને તે દેખાડ, કોણ છે? આવું વચન સાંભળી ગાય ચાલવા લાગી. રાજા પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જે જગાએ વાછડાનું કલેવર પડેલું હતું ત્યાં આવી ગાયે તે બતાવ્યું, ત્યારે તેને પર ચક્ર ફરી ગયેલું દેખી રાજાએ નેકરને હુકમ કર્યો કે, જેણે આ વાછડા ઉપર ગાડીનું ચક્કર ચલાવ્યું હોય તેને પકડી લાવે. આ હકીક્ત કેટલાક લોકો જાણતા હતા પરંતુ તે (વાછડા ઉપર ગાડીનું ચાર ચલાવનાર) રાજપુત્ર હોવાથી તેને રાજા પાસે કણ લાવી આપે? એવું સમજી કોઈ બોયું નહીં. તેથી રાજા બોલ્યા કે, જ્યારે આ વાતને નિર્ણય અને ન્યાય થશે ત્યારે જ હું ભજન કરનાર છું, તે પણ કઈ બેલ્યું નહીં. જ્યારે રાજાને ત્યાં ને ત્યાં જ ઊભા એક લાંઘણ થઈ તથાપિ કઈ બેલ્યું નહીં ત્યારે રાજપુત્ર પિતે જ આવી રાજાને કહેલા લાગ્યો કે, “સ્વામી, હું એના ઉપર ચક્કર ચલાવનાર છું માટે જે દંડ કરવાનું હોય તે મારે કરા.” રાજાએ તે જ વખતે સ્મૃતિઓના જાણનારાઓને બેલાવી પૂછ્યું કે, આ ગુન્હાને શો દંડ કરે? તેઓ બોલ્યા કે, સ્વામી, રાજ પદના યોગ્ય એક જ આ પુત્ર હોવાથી એને શે દંડ દેવાય? રાજા બોલ્યો કે, કોનું રાજ્ય કેનો પુત્ર મારે તે ન્યાયની સાથે સંબંધ છે. મારે એ ન્યાય જ પ્રાધાન્ય છે. હું કંઈ પુત્રને કે રાજ્યને માટે અચકાઉં એમ નથી. નીતિમાં કહ્યું છે કે, દુષ્ટને દંડ, સજજનને સત્કાર, ન્યાયમાર્ગથી ભંડારની વૃદ્ધિ, અપક્ષપાત, શત્રુઓથી પોતાના રાજ્યની રક્ષા, એ પાંચ પ્રકારના જ યજ્ઞ રાજાઓને માટે કહેલા છે. સોમનીતિમાં પણ કહેવું છે કે, “અપરાધના જ જેવો દંડ પુત્ર ઉપર પણ કરે.” માટે આને શું દંડ આપ યોગ્ય લાગે છે તે કહે તો પણ તે કાયદાના જાણ પુરુષે કાંઈ પણ બોલ્યા નહીં–અણુબાલ્યા રહ્યા. રાજા બે-આમાં કેઈનો કંઈ પણ પક્ષપાત રાખ. વાની જરૂર નથી, ન્યાયથી જેણે જે અપરાધ કીધેલ હોય તેને તે દંડ આપવો જોઈએ. માટે આપણે આ વાછડા ઉપર ચક્કર ફેરવ્યું છે તે એના ઉપર પણ ચક્કર ફેરવવું થગ્ય છે. એમ કહી રાજાયે ત્યાં ઘોડાગાડી મંગાવી પુત્રને કહ્યું કે, અહિયાં તું સુઈ જા. ત્યારે તેણે વિનીત હોવાથી તેમજ કર્યું. ઘોડાગાડી હાંકનારને રાજાએ કહ્યું કે, એના ઉપર ગાડીનું ચક્કર ચલાવો. પણ તેણે ગાડી ચલાવી નહીં, ત્યારે બધા લોકો ના પાડતા છતાં પણ રાજા પિતે તે ગાડી હાંકનારને દૂર કરી ગાડી ઉપર ચડીને તે ગાડીને ચલાવવા માટે ઘોડાને ચાબુક મારીને તેના ઉપર ચક્કર લાવવા ઉદ્યમ કરે છે તે જ વખતે તે ગાય બદલાઈ ગઈ અને રાજ્યાધિષ્ઠાયક દેવી બની (બનેલી ગાયને બદલે ખરી દેવીયે) જય જય શબ્દ કરતાં તેના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી કહ્યું કે, રાજન ! ધન્ય છે તને–તે આવે ન્યાય અધિક પ્રિયતમ ગણ. માટે ધન્ય છે તને, તું ચિરંકાળ પર્યત નિર્વિઘ રાજ્ય કર. હું ગાય કે ૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy