SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथम दिन कृत्यप्रकाश । [ ૨૨૨] ધન ઉપાર્જન કરવા કરતાં પણ પહેલાં ધર્મ ઉપાર્જન કરવાની જરૂર. અહીં અર્થચિન્તા કરવી એમ આગમ કહેતું નથી, કારણ કે, માણસ માત્ર અનાદિ કાલની પરિગ્રહની સંજ્ઞાથી પોતાની મેળે જ અર્થચિન્તા કરે છે. કેવલિભાષિત આગમ તેવા સાવધ વ્યાપારમાં નિર્વાહની પ્રવૃત્તિ શામાટે કરાવે? અનાદિ કાલની સંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિન્તા કરવી પડે, ત્યારે તેણે ધર્મ વિગેરેને બાધ ન આવે તેવી રીતે એ કરવી, એટલી જ આગમની આજ્ઞા છે. લેકે જેમ સાંસારિક કાર્યોનાં આરંભ કરીને અહેરાત્ર ઉદ્યમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટલું પણ ઉદ્યમ જે ધર્મમાં કરે તો શું મેલવવાનું બાકી રહે? આજીવિકાના સાત ઉપાય. માણસની આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળાકૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિક લેકે વ્યાપારથી, વૈદ્ય આદિ લેકે પિતાની વિદ્યાથી, કણબી લેકે ખેતીથી, ગોવાળ તથા ભરવાડ લેકે ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લોકો પોતાની કારીગરીથી, સેવક લકે સેવાથી અને ભિખારી લોકો ભિક્ષાથી પોતાની આજીવિકા કરે છે. તેમાં ધાન્ય, વૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબા, પિતળ આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું વગેરે કરિયાણાના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણું છે” એવી લેકમાં પ્રસિદ્ધિ છે. પિટાના ભેદ જાણવા જોઈએ નહિ તે સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદરજ સમાય છે. ઓષધ, રસ, રસાયન, ચૂર્ણ, અંજન, વાસ્તુ, શકુન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, જ્યોતિષ, તર્ક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યાથી પ્રાયે માઠું ધ્યાન થવાનો સંભવ હોવાથી વિશેષ ગુણકારી નથી. કોઈ ધનવાન પુરુષ માં પડી જાય અથવા બીજા કોઈ એવા જ પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણું લાભ થાય છે, ઠેકાણે ઠેકાણે બહુમાન મળે છે. કેમકે શરીરે રોગ થાય ત્યારે વિદ્ય પિતા સરખે છે; તથા રેગિના મિત્ર વૈવ, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસના મિત્ર મુનિરાજ અને લક્ષમી બેઈને બેઠેલા પુરૂષના મિત્ર જેશી જાણવા. વ્યાપારમાં વ્યાપાર ગાંધીનેજ સરસ છે, કારણ કે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સો ટકે વેચાય છે. આ સર્વ વાત સાચી છે. વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ એમ છે કે, જેને જે કારણથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy