SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? પ્રથમ વિશ્વાસ છે [૨૭] છતી શક્તિયે આજ્ઞાભંગ કરનારને નિશ્ચયથી નહીં ઉવેખતાં મીઠાં વચનથી અથવા કઠણ વચનથી પણ તેઓને શિખામણ આપવી. જેમ અભયકુમારે પિતાની બુદ્ધિથી જૈનમુનિ પાસે દીક્ષા લેનાર એક ભીખારીની નિંદા કરનારાઓને નિવાર્યા હતા તેમ વારવા. સાવીને સુખશાતા પૂછવી. જેમ સાધુને સુખશાતા પૂછવાનું બતાવ્યું તેમજ (સાધુની પેઠે) સાવીને પણ મુખશાતા પૂછવી. વળી સાધ્વીમાં એટલું વિશેષ વિચારવાનું છે કે, તેમને કુશીળીયા અને નાસ્તિકથી રક્ષણ આપવું. પિતાના ઘરની પાસે તરફથી ગુપ્ત અને ગુપ્ત દરવાજાવાળા પરમાં વસવાને ઉપાશ્રય આપવો. પિતાની સ્ત્રીઓ પાસે સાધ્વીની સેવા-ભક્તિ કરાવવી. પતાની દીકરીઓ પ્રમુખને તેમની પાસે નવા અભ્યાસ વિગેરે કરવાં રાખવી તથા વ્રતની કમુખ થયેલી સ્ત્રી, પુત્રી, ભગિની પ્રમુખને તેઓની પાસે શિધ્યારૂપે સમર્પવી. વિસ્મત થઈ ગયેલી કરણુઓ તેઓને સમરણ કરાવી આપવી. અન્યાયની પ્રવૃત્તિથી તેઓને બચાવાં. એક વાર અગ્ય વર્તણુક થયાનું જાણ્યું કે તત્કાળ તેમને શિખામણ આપીને વારવાં, બીજી વાર અગ્ય વર્તણુક થાય તો કઠણ નિષ્ફર વચન કહીને ધમકાવવાં, તેમ કરતાં પણ જે ન માને તે પછી કઠોર વચન કહીને પણ તાડના તર્જના કરવી. ઊચિત સેવા-ભક્તિમાં ઉચિત વસ્તુઓ આપીને તેમને સદાય વિશેષ પ્રસન્ન રાખવાં. ગુરૂ પાસે અભ્યાસ કરે. ગુરૂ પાસે નિત્ય અપૂર્વ અભ્યાસ કરે. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે, આંખમાંથી અંજન ગયું તથા રાફડાનું વધવું દેખીને (એટલે સવાર થયે જાણીને), ન આપવું, અને તે અભ્યાસ કરે, એવી કરણ કરવામાં દિવસ વાંઝીયે ન કરો. પિતાની સ્ત્રી, ભજન અને ધન, એ ત્રણ પદાર્થમાં સંતોષ કરે. પણ દાન, મધ્યયન, અને તપમાં સંતોષ કરવો જ નહીં. ધર્મસાધન કરવા વખતે એવી બુદ્ધિ રાખવી કે જાણે યમરાજે મારા મસ્તકના કેશ પકડી લીધા છે તે છોડનાર નથી માટે જેટલું થાય તેટલું ત્વરાથી કરી લઉં, અને વિદ્યા તથા દ્રવ્ય ઉપાર્જન કરવા વખતે એવી બુદ્ધિ hખવી કે, હું તે અજર અને અમર છું માટે જેટલું શીખાય એટલું શીખે જ જવું એવી કૃદ્ધિ ન રાખે તે શીખી જ શકાય નહીં. , અતિશય રસના વિસ્તારથી ભરેલા અને આગળ કોઈ દિવસ શીખેલા નહીં એવા વિીન જ્ઞાનના અભ્યાસમાં જેમ જેમ પ્રવેશ કરે છે તેમ તેમ તે નવા અભ્યાસને મરનાર મુનિ નવા નવા પ્રકારના સંવેગ (વૈરાગ) અને શ્રદ્ધાથી આનંદિત થાય છે. જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy