SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૪ ] श्राद्धविधिप्रकरण | જેટલાં કર્યાં ઘણા ક્રોડા વર્ષ તપ કરવાથી અજ્ઞાની ખપાવે છે, એટલાં ( કર્મ ) મન વચન કાયાની ગુપ્તિવાળા જ્ઞાની એક શ્વાસેાશ્વાસમાં ખપાવી દે છે. એટલા જ માટે તામલી, પૂરણાદિક તાપસ વિગેરેને ઘણુંા તપકલેશ કરતાં પણ ઇશાને અને ચમરેંદ્રપણારૂપ અપ ફળનીજ પ્રાપ્તિ થઇ. તેમજ શ્રદ્ધા વિના એકલા જ્ઞાનવાળા અંગારમ કાચા ની પેઠે સમ્યગ્ ક્રિયાની પ્રવૃત્તિ થાય નહીં. જે માટે કહેવાય છે કે, જ્ઞાન રહિત પુરૂષની ક્રિયા કરવાની શકિત, ક્રિયા કરવાને અસમર્થ પુરૂષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરૂષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન, એ સર્વ નિષ્કુલ છે. અહિ ચાલવાની શક્તિ ધરાવનાર પણ માના અજાણુ આંધલાનું, માના જાણુ તેમ ચાલવાની શક્તિ નહી ધરાવનાર પાંગળાનુ અને માર્ગનું જ્ઞાન અને ચાલવાની શક્તિ ધરાવવા છતાં પણ ખેાટે માગે ચાલવા ઇચ્છા રાખનાર પુરૂષનું, એમ ત્રણ દૃષ્ટાન્ત એક પછી એક જાણુવા; કારણ કે, દૃષ્ટાન્તમાં કહેલ ત્રણે પુરૂષ અંતરાય રહિત કાઇ ઠેકાણે જઇ શકતાા નથી. ઉપર બતાવેલા કારણ પ્રમાણે જ્ઞાન, દર્શન, ચારિત્ર, એ ત્રણના સંચાગ થવાથી જ માક્ષની પ્રાપ્તિ થાય છે; માટે એ ત્રણની આરાધના કરવાના ઉદ્યમ કરવા એ રહસ્ય છે. સાધુને સુખશાતા પૂછવી તથા વહેારવા વિગેરે વિષે. એવી રીતે ગુરૂની વાણી સાંભળીને ઊઠતી વખતે સાધુના કાર્યંના નિર્વાહ કરનાર શ્રાવક એમ પૂછે કે–હે સ્વામી, આપને સંયમયાત્રા સુખે વર્તે છે ? અને ગઈ રાત્રી નિરામધ સુખે વરતી? આપના શરીરમાં કાંઇ પીડા તા નથી ? આપના શરીરમાં કંઇ વ્યાધિ તા નથી ને ? કાંઇ વૈદ્ય કે ઓષધાદિકનું પ્રત્યેાજન છે ? આજે આપને કાંઇ આહાર વિષયમાં પથ્ય રાખવા જેવું છે? એમ પ્રશ્ન કરવાથી ( પૂછવાથી ) મહાનિર્જરા થાય છે. કહેલું છે કે, ગુરૂને સામા જવુ, વંદન કરવા, નમસ્કાર કરવા, સુખશાતા પૂવી, એ પ્રમાણે કરવાથી ઘણાં વર્ષોંનાં કરેલાં પણ કર્મ એક ક્ષણ વારમાં વિખરાઈ જાય છે. ગુરૂવન્દનાવસરે પૂર્વમાં ઇચ્છકાર સુહરાઈ ' ઇત્યાદિ પાઠવર્ડ સુખશાતા પૂછેટી હાવા છતાં પણ, અહિં સમ્પૂર્ણ પણે જાણવા માટે અને તેના ઉપાય કરવા માટે પૂછાય છે. તેથી ગુરૂને પગે લાગીને નીચે પ્રમાણે પાઠ મેલવે. ' "" ગુરૂને પહેલી વંદના બતાવ્યા પ્રમાણે સામાન્યથી કીધા પછી વિશેષથી કરવી. જેમકે, “સુહરાઈ સુહૃદેવસી સુખતપ નિરામાધ ઇત્યાદિક ખેલી શાતા પૂછવાથી વિશેષ લાભ થાય છે. આ પ્રશ્ન ગુરૂના સમ્યક્ સ્વરૂપ જાણવા માટેનુ છે તથા તેના ઉપાયની ચેાજના કરનાર શ્રાવકને માટે છે. ત્યારપછી પગે લાગીને, ક્ચ્છારી મચયન પસાય ી જાતુ. एणं एसणिज्जेणं असण पाण खाइम साइमेणं वथ्थपडिग्गहकबंलपायपुच्छणेणं पाडि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001788
Book TitleShraddhavidhiprakaran
Original Sutra AuthorN/A
AuthorVikramvijay, Bhaskarvijay
PublisherVikram Vijayji and Bhaskar Vijayji
Publication Year
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Religion, Ritual, & Vidhi
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy