SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શુક્ર-હીરો ૬૭ અશુભ ફળ આપતો શુ ક : કોઈપણ માણસની જન્મ રાશિથી અથવા તો નામ રાશિથી ગણતાં છઠ્ઠી રાશિમાં અથવા સાતમી રાશિમાં શુક્ર આવે તો તે શુક્ર અશુભ જાણવો. વળી જે. પોતાની રાશિથી દસમી રાશિમાં શુક્ર આવે તો પણ તે અશુભ ફળ આપનારો ગણાય છે જ્યારે જ્યારે શુક્ર અશુભ બને ત્યારે ત્યારે માણસને અશક્તિ અથવા નબળાઈના કારણે ઉત્પન્ન થતા રોગોની પીડા થાય છે. વળી આ શુક્ર ગુપ્ત સ્થાનનાં દરદ પણ ઉત્પન્ન કરે. તે ઉપરાંત પત્નીને પીડા, બાળકને પીડા તથા ધનનો ખોટે ખર્ચ કરાવે તેવા યોગો ઉપસ્થિત થાય છે. જ્યારે જ્યારે શુક્ર નબળા બને ત્યારે. જેના કારણે માણસને માથાની બીમારી મિત્રોનો વિરોધ તથા માતાને પીડા કરનાર પણ નીવડે. ઉપર પ્રમાણે શુક્ર જ્યારે નબળો બને ત્યારે તે અનેક પ્રકારની ઉપાધિઓ લાવનાર બને છે. આને માટે ખાસ વિધિ કરવી જોઈએ અને એ રીતે નબળા શુક્રની શાંતિ કરવી જોઈએ. જે નબળા શુકને માટે વિધિપૂર્વક શાંતિ કરવામાં આવે તો તેની સઘળી ખરાબ અસર. નાશ પામે છે તથા શુભ અસર પ્રાપ્ત થાય છે, જેથી કરીને માણસ આવનારી મુસીબતોમાંથી બચી જાય છે તથા દરેક રીતે સુખી થાય છે. વિધિ : જ્યારે જ્યારે શુક્ર નબળો બને ત્યારે અથવા તો જ્યારે અશુભ ફળ આપતા શુક્રની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય ત્યારે તેના માટે યોગ્ય વિધિ કરીને શાંતિ કરવી જોઈએ. શુક્રની શાંતિ માટે તેના નંગ તરીકે હીરે ગણાય છે. સાચું અને પાણીદાર ઉત્તમ જાતને હરે લાવવો. આ હીરાને સોનામાં મઢાવી તેની વીંટી બનાવવી તથા તે વીંટીને બ્રાહ્મણ પાસે પ્રાણપ્રતિષ્ઠા તથા જપ વિગેરે કરાવીને સિદ્ધ કરાવવી. આ પ્રમાણે વીંટી સિદ્ધ કરવા માટે શુક્રના ૬૪૦૦૦ જપ કરવા જોઈએ તથા જપ ચાલે ત્યાં સુધી હંમેશાં વિધિપૂર્વક શુકની વીંટીની અનેક ઉપચારથી પૂજા કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy