SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્ર–માતી ૨૩ સમયમાં જ થાય છે. વળી આ સમયમાં માણસને દેવ પ્રત્યે શ્રદ્ધાભક્તિ ઉત્પન્ન થાય છે તથા સારાં ધાર્મિક કાર્યો પણ કરાવે છે. ઉપર પ્રમાણે ચંદ્ર જ્યારે સારા સ્થાનમાં હોય ત્યારે ત્યારે તે સારૂ જ ફળ આપે છે, છતાં પણ સારા સમયમાં પણ જે ચંદ્રની ભક્તિ કરવામાં આવે તો તે ચંદ્ર વધારે સારૂં ફળ આપનાર બને. આથી સારા સમયમાં પણ માણસે તેની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ખરાબ ફળ આપનારો ચંદ્ર: ઉપર સારૂં ફળ આપનારા ચંદ્રનાં સ્થાન દર્શાવ્યાં છે. ઉપર બતાવેલાં સ્થાનો સિવાયનાં કોઈપણ સ્થાનમાં જ્યારે જ્યારે ચંદ્ર આવે ત્યારે ત્યારે તે ચંદ્ર નબળું ફળ આપનાર ગણાય. એટલે કે માણસની જન્મ રાશિથી અથવા નામ રાશિથી ગણતાં જે ચંદ્રની રાશિ ચેથી, પાંચમી, આઠમી, નવમી અથવા બારમી થાય તે જાણવું કે ચંદ્ર નબળે છે. આ રીતે જ્યારે ત્યારે ચંદ્ર નબળો હોય ત્યારે તે માણસને નુકસાન કરે છે. અને ખરાબ ફળ આપે છે. સુદ પખવાડીયામાં જે ચંદ્ર બીજે, પાંચમે અથવા તો નવમો હોય તો તે સારૂં ફળ આપે છે. વળી વદ પખવાડીયામાં જે ચોથે, આઠમો અથવા બારમો ચંદ્ર થાય તે તે પણ માણસને સારું જ ફળ આપનાર ગણવામાં આવે છે. જ્યારે જ્યારે ગોચરને ચંદ્ર નબળો થાય ત્યારે ત્યારે તેના કારણે માણસને ધનનું નુકસાન થાય છે. જે લાભ મળવાના હોય તે જતા રહે છે. વળી શરૂ કરેલાં બધાં જ કાર્યોમાં આ ચંદ્ર ઉપાધિઓ લાવે છે. ચારોથી નુકશાન થવાને પણ ભય ગણાય છે. કેઈ કઈ વખત માણસને જાનનું જોખમ પણ કરાવે છે. જ્યારે જ્યારે ચંદ્ર નબળો થાય ત્યારે ત્યારે જેલ, ફાંસી વિગેરેનો ભય ગણી શકાય. આ ચંદ્ર સંબંધીઓને વિયેગ કરાવે. ચારે તરફ ભયની તથા દુઃખની લાગણીઓ અને શેકના પ્રસંગે ઊભા થાય. નબળા ચકના સમયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy