SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહ અને રત્નો બેસાડવા વધારે સારૂં. “નખ” જેવામાં બેસાડવાથી નંગની બાજુમાં મેલ ભરાવાની શક્યતા વધુ રહે છે ને તેથી નંગ દુષિત વધારે થાય, જ્યારે વાડકીની બેસણમાં પાછળ ભાગ સહેલાઈથી સાફ થઈ શકે પહેરેલાં નંગને જેટલું શુદ્ધ રાખી શકાય તેટલું રાખવું. નકલી નંગે : ઉપર કહ્યું છે તેમ અનુભવે તરત પકડાઈ આવે છે. બનાવટી સોનું વધારે ચળક મારે. અભણ માનવી ભણતરને ડિળ વધુ કરે. બીન આવડતવાળો માણસ વટ પાડવા બધી જ આવડતવાળો છું એમ બણગાં ફૂકે તેવું નકલી નંગોનું છે. ગ્રાહકો સતું જાણું લે છે. ને ફળ ન મળતાં જ્યોતિષ શાસ્ત્રી કે જેશીને બોલાવે છે. એક જણને સરસ દેખાતો લાલ રંગને ગુરૂ એક દુકાનદારે દશ રૂપિયામાં પોરવ્યો. ફળ ન મળે તે તો ઠીક પણ તે ખરીદ કરનારને આ નંગ પહેર્યા પછી દેવું વધતું ગયું. છેવટે અકળાઈને તેણે કાઢી નદીમાં નાખી દીધે. પણ જો આવું નકલી નંગ શનિ યા મંગળનું હોય અને ખાસ કરીને જે પૂજાવિધિ પણ કરી મંત્ર જપ કર્યા હોય તો વધુ હેરાન કરશે. આપણે ગ્રહને રીઝવવા માગીએ છીએ. નંગ એ ગ્રહનું પ્રતીક છે. જેમ દેવની મૂર્તિ એ દેવનું પ્રતીક છે માતાજીની મૂર્તિ એ અનેક છે પણ બધાની મુખાકૃતિ એક નથી. ઘડનારને કહેવામાં આવે કે ચિત્ર આપવામાં આવે કે વર્ણન કરવામાં આવે તે પરથી તે ઘડે પણ દરેક મૂર્તિમાં શક્તિ તો એક જ સ્થાપિત હોય છે. તેવું જ મહાદેવનાં લિંગનું, રામજી વગેરે દેવોની મૂર્તિનું હોય છે. આમ નંગ તે ગ્રહનું પ્રતીક છે. ગ્રહને પકડી લાવી તેનું પૂજન સ્તવન થઈ શકે નહિ તેથી નંગ લઈએ છીએ. તે જે ખોટું હોય તો ગ્રહ જેની આરાધના કરવા ઈચ્છીએ તે કઈ રીતે આ ખોટા નંગને પ્રતીક તરીકે સ્વીકારે ? ને શનિ, મંગળ જેવા તો ઊલટું ફળ આપી દંડ દેવા જ તૈયાર થાય. યાદવાસ્થળી અંગેની વાત જાણીતી છે કે એક યુવકને સ્ત્રીનો વેશ પહેરાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy