SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નંગ કઈ આંગળીએ પહેરવાં? ૧૧ કુંડળીમાં જોઈ ચોકસાઈથી નકકી કરાવો કે વ્યક્તિને કયે ગ્રહ વધુ લાભદાયી છે ? તે ગ્રહનું નંગ પહેરે. કયે ગ્રહ હેરાન કરે છે ? તેના જપતપ જાતે કરે તો જ તે ગ્રહનાં શુભ કિરણે તમારું માનસ. ગ્રહણ કરે ને યોગ્ય આચરણ કરવા બુદ્ધિ સૂઝે. બીજા પાસે જે જપતપ 'કરાવો તો તે વ્યક્તિનું મનોબળ ને તપોબળ એવાં હોવાં જોઈએ કે તેનાં આદેલને તમારા મગજ પર પડે ને તમને યોગ્ય માર્ગ સૂઝે. માંદગીમાં પણ એવું જ જપતપ કરવાથી ડોકટરનાં માનસ પર: અસર કરવાની છે જેથી તેને યોગ્ય દવા સૂઝે અને એગ્ય ચિકિત્સા કરી. નિદાન કરે. તેમ દદીના માનસ પર પણ અસર કરવાની છે કે તે ગ્રહનાં. કિરણો નંગ દ્વારા માનસ ભૂમિ પર હસ્તરેખામાં વહેતા રક્તપ્રવાહથી. પહોંચે ને તે માનસ સબળ બને ને રોગની અસરથી દૂર રહેવા માંડે. નંગ કઈ આંગળીએ પહેરવાં? નંગ કઈ આંગળીએ પહેરવાં એ ચોક્કસ કરવું મુશ્કેલ છે. શીઓ કહેશે કે તર્જની, અનામિકા, મધ્યમા, કનિષ્ઠિકા વગેરેમાં આ અમુક આંગળીએ જ પહેરજે. પણ અહીં હસ્તરેખા શાસ્ત્રનો સંબંધ વિચારો. કનિષ્ઠિકા બુધ ગ્રહની છે, અનામિકા સૂર્ય ગ્રહની. છે, મધ્યમ શનિ ગ્રહની છે, તર્જની ગુરૂ ગ્રહની છે તો મંગળ અને ચંદ્રનાં નંગ કયી આંગળીએ પહેરવાં ? પહાડ બે છે. એક અંગુઠા આગળ જીવનરેખા નજીક ને બીજે કનિષ્ઠિકા નીચે મસ્તકરેખા અને હૃદય રેખાની વચ્ચે હથેલીની ધાર પર. તો ચંદ્ર મસ્તક રેખા ને ભવિષ્ય રેખાની વચ્ચે હથેલીના ખૂણા તરફ છે ને શુક્ર પહાડ અંગૂઠાની નીચે હાથના કાંડા આગળ છે. આમ ગ્રહોના આધારે આંગળીઓને વિચાર કરીએ તો ચંદ્ર, મંગળ ને શુક્ર નડતા હોય તો તેની વીંટી કઈ આંગળીએ પહેરવી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy