SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ માટે અધિકારી રહે છે. તેવી રીતે ચોથ ને પાંચમની વૃદ્ધિ કે ચોથ પહેલાંની યા ખુદ ચોથની વૃદ્ધિ બાધક થઈ શકતી નથી, અર્થાત ચોથની આગળ કે પાછળની કોઈ પણ તિથિને ક્ષય કે વૃદ્ધિ હોય તે પણ ભાદરવાની જેમ પર્યુષણ પર્વ માટે નિયત રીતે પ્રતિબદ્ધ ચેાથ જ અધિકારો રહે છે. અને આથી પાંચમની વૃદ્ધિએ ચોથને કઈ પણ પ્રકારની બાધા ન હોવાથી ભાદરવા સુદ ચોથે જ સંવત્સરી કરવી, તે શાસ્ત્રોકત રીતે ઉચિત ને ઉપાસનીય છે. અનન્તરને શું અવ્યવહિત અર્થ થઈ શકે ? અનાગતનો જે અનન્તર–અવ્યવહિત અર્થ થાય તો એ વિશેષણ અસંગત છે, કારણ કે-દરેક સ્થળે પાંચમને અવ્યવહિત જ ચોથ આવે છે. જે વૃદ્ધિતિથિને બે તિથિ માનીએ અને અન્તવાળી તિથિથી આદિવાળી તિથિ વડે વ્યવધાન કરવાથી એ ચેાથ વ્યવહિત થઈ જાય છે એમ જે કહીએ, તો એ વૃદ્વિતિથિ પાંચમજ છે કે કોઈ બીજી સંજ્ઞાવાળી છે? જે બીજી સંજ્ઞાવાળી હોય તે એને રિકતા કહેવાય કે પૂર્ણા? રિકતા તો ન જ કહી શકાય, કેમકે-પાંચમને ચેાથ સાથે સંબંધ જ નથી : અને પુર્ણ જ કહેવાય તો પાંચમથી અનારજ ચેથ થાય. કારણ કે– નંદા, ભદ્રા, જયા, રિકતા અને પૂર્ણાએજ તિથિએની સંજ્ઞા છે. એ સિવાય તો તિથિએની કોઈ ભિન્ન સંજ્ઞા જ નથી.. વળી વૃદ્ધિતિથિને ત્રિદિન–સ્પર્શીની તિથિ કહી છે. અર્થાત એક જ તિથિ ત્રણ દિવસને સ્પર્શ કરે છે. બીજી બાબત જે અવ્યવહિત ચેાથમાં જ થાય છે જ્યારે પહેલી પાંચમથી વ્યવધાન થાય છે, ત્યારે પર્યુષણ થવા જ ન જોઈએ, કેમકે તે તમોથીના હિસાબે અવ્યવહિત ચોથ નથી. જે ચેાથ છે તે વ્યવહિત છે અને જે પહેલી પાંચમ છે તે અવ્યવહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001776
Book TitleSamvatsarik Parvatithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorJanakvijay
PublisherJain Shwetambar Murtipujak Sangh Bhabher
Publication Year1993
Total Pages130
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy