________________
પણ છે અને તિથિને પ્રશ્ન તે એકલા તપાગચ્છ વિચારવાને છે. આ ઉત્તરથી સમજાય છે કે તે વખતે પણ તિથિએના દિવસની બાબતમાં અને તેની આરાધના કયારે કરવી તે સંબંધમાં શાસ્ત્રાનુસારી નિર્ણય કરવાની અને પાછળથી ચાલી પડેલી અવ્યવસ્થિતતા દૂર કરવાની જરૂર જણાઈ હતી, પરંતુ બીજા ગચ્છવાળાઓની તિથિવિષયક માન્યતા જૂદી હોઈને તે પ્રશ્નને હાથ ધરવામાં આવ્યો ન હતે. અહીં કોઈ પણ સુજ્ઞને એ પ્રશ્ન ઉઠવાને સંભવ છે કે આ બાબત જ્યારે અતિ મહત્ત્વની હતી, ત્યારે બીજા ગચ્છવાળાઓની રજા માગીને અગર તો એમને વિદાય આપીને તેની ચર્ચા કેમ ન કરી? સંભવ છે કે સંમેલનમાં પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પડખે પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી હતા અને એમનું મન સાચવી લેવા તિથિને પ્રશ્ન છેડાતે અટકાવી દીધું હોય, પણ આમ જે બન્યું હોય તેમાં શ્રી સંઘની ભવિતવ્યતા સિવાય બીજે કંઈ ઉત્તર મળી શકે તેમ નથી, એટલે શું કહીએ? બાકી અમારા જેવાં હજારે હૈયાંને અફસેસ થાય છે કે સાધુસંમેલન મળ્યું, છતાં આ મહત્તવને પ્રશ્ન વિચાર્યા વિના રહી ગયો અને તેનાં પરિણામો આગળ જતાં સમાજ માટે અતિ ખતરનાક આવ્યાં!
વિ. સં. ૧૯૨માં ચંડાશચંડ પંચાંગમાં ભાદરવા સુદ પાંચમ બે આવી. એ પ્રસંગ દ્વારા તિથિચર્ચાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org