SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અને બીજા કેટલાક લે તેની વિરુદ્ધમાં નીકળ્યા હતા. પરિણામે પૂજ્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના સમુદાય સિવાય તમામ સમુદાએ ચોથ-શુક્રવારની સંવત્સરી કરી હતી. ઉપર પ્રમાણે સં. ૧૯૫ર અને સં. ૧૯ત્માં ચંડાશુ, પંચાંગમાં ભાદરવા સુદી ૫ ને ક્ષય આવ્યું હતું અને તે વખતે આખા તપાગચ્છ, ચંડાશુગંડુ પંચાંગની ઉદયાત્ ચોથના દિવસને સંવત્સરી તરીકે કબૂલ રાખે હતો, જ્યારે તે વખતે એકલા પૂજ્ય શ્રી સાગરાનંદ સૂરિજી મહારાજે પંચાંગની ત્રીજને સંવત્સરી માની લીધી હતી, એટલે તિથિચર્ચાની અર્થાત તિથિના મતભેદની શરૂઆત શ્રીપૂને સમય બાદ કરતાં વર્તમાન કાળે, ક્યારે, કોના તરફથી થઈ, તે વાચકે સારી રીતે સમજી શકશે. સાધુસંમેલનમાં કંઈ નિરાકરણ થયું નહિ. સં. ૧૯૯૦માં અમદાવાદ ખાતે સાધુસંમેલન થયું તે વખતે પૂજ્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજે પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વગેરે આગેવાન આચાર્યોને કહ્યું કે “તિથિની વિચારણા પણ કરી લે.' પરંતુ તે વખતે પૂજ્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે એ જવાબ આપે કે અહીં તો બીજા ગ૭વાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy