SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તરખડાટ વધી જવા પામ્યું. જ્યોતિષશાસ્ત્રના સમર્થ જાણકાર પૂ. આ. શ્રીમદ્ વિજયદાન સૂરીશ્વરજી મહારાજ એ જ વર્ષના મહા મહિનામાં કાલધર્મ પામી ગયેલા, એટલે એ વિષયમાં આગેવાની કોણ લે છે તે જોવાનું હતું. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વગેરેએ સં. ૧૯૫૨, ૧૯૬૧ અને ૧૯૮૯ માં ભાદરવા સુદી પાંચમને ક્ષય હતું ત્યારે ચંડાશુગંડુની ઉદયાત્ ભાદરવા સુદી ચોથના દિવસે જ સંવત્સરી કરી હતી, તેથી આ વર્ષના પંચમીવૃદ્ધિના પ્રસંગમાં પણ તેઓ ઉદયાત્ ચેાથે જ સંવત્સરી કરશે, એમ ધારીને પૂ. આ. શ્રી વિજયસિદ્ધિ સૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજીની પાસે અમદાવાદમાં પાંજરાપોળે ગયા. પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ પણ તેમને સત્કાર કરીને એવી જ વાત કરી કે “ચેાથે તે શનિવારે જ છે, પણ એ બાબતમાં આપણે બીજાઓના અભિપ્રાય મેળવી લઈએ. ” આથી પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને તેમના પ્રત્યેને ઉદયાત્ ચેાથે સંવત્સરી કરવાને વિશ્વાસ દૃઢ થયો અને તેમણે કહ્યું કે તે તમે કરશે તે પ્રમાણે હું કરીશ.” કેટલાક દિવસે વહી ગયા બાદ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ રવિવારે સંવત્સરી કરવાનું કહેવડાવ્યું. વચલા કાળમાં પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ ભાદરવા સુદ પહેલી પાંચમે ચોથ માનીને સંવત્સરી કરવાનું જાહેર કરી દીધું હતું, તેથી પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીએ પૂ. આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy