SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩. સંવત્સરીની આરાધના કરતું હતું, તેમ ચંડાશુના સુદિ ૪ ના ઔદયિક દિવસે સંવત્સરી કરી. અલબત્ત, સં. ૧૫ર વગેરેમાં પંચમી ક્ષય વખતે ઉદય ચેાથ લેનારા બીજા કેટલાક સમુદાયે આ વખતે ઉદય ચોથ ન પકડવાથી સાથે ન હતા. એવું જ સં. ૧૯૩ માં પણ બન્યું. પરંતુ આ વૃધ્ધિને પ્રસંગ તે સે વર્ષે એકાદ વાર આવે ત્યારે જ ભેદ પડે, જ્યારે પુનમની ક્ષયવૃદ્ધિ પ્રસંગે તેરશની ક્ષયવૃદ્ધિ ઊભી રાખીને ચંડાશુની બતાવેલી ઉદયવાળી ચાદસે જ પખી આરાધવાનું ચાલુ કર્યું, તેમાં તે વર્ષે બે વર્ષે પુનમને ક્ષય વૃદ્ધિને પ્રસંગ આવવાથી સંઘમાં વારંવાર ભેદ પડે તે તે કેમ ચાલુ કર્યું? અહીં પૂજ્ય શ્રી સિદ્ધિ સૂરીશ્વરજીના પક્ષવાળા કહે છે કે શ્રીપૂના સમયમાં પુનમની ક્ષયવૃધ્ધિએ. તેરસની ક્ષયવૃદ્ધિ કરવાનું અસત્ય સંઘમાં ઘુસી ગયું હતું અને તે પુનમ-અમાસની ક્ષય વૃધ્ધિએ તેરશની ક્ષયવૃધ્ધિ કરવાનું કાર્ય શાસ્ત્રવિરુધ લાગવાથી ઘણું જ ખટકતું હતું. વળી ભા. સુ. ૫ ના ક્ષયે પાંચમને ક્ષય માનવા છતાં બીજાઓના સંતેષ ખાતર છઠને ક્ષય જાહેર કરવાથી આવું પરિણામ આવ્યું, એમ પણ એમને લાગ્યું હતું. કલ્યાણક પર્વની તિથિઓ વગેરેમાં પણ એકને બદલે બીજી ભળતી તિથિ આરાધાવાની ગરબડ વારંવાર થતી હતી, કારણ કે ભીંતિયાં પંચાગમાં સરળતા ખાતર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy