SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભાઈ જેવા મધ્યરથ હોય અને પ્રો. પી. એલ. વૈદ જેવા વિદ્વાન દ્વારા પ્રમાણિક નિર્ણય મેળવે, છતાં તિથિચર્ચાને પ્રશ્ન હલ ન થાય એ શ્રીસંઘની કેટલી મોટી કમનસીબી ! સં. ૨૦૦૪ની ઘટના વિ. સં. ૨૦૦૪માં ફરી ભાદરવા સુદી ૫ ને ક્ષય આવ્યા, ત્યારે શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજય વલ્લભસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પૂર્વની જેમ ચંડાશુગંડુ પંચાંગની ઉદયાત ચતુર્થીએ સંવત્સરી કરવાના પક્ષમાં ઊભા રહ્યા હતા, પરંતુ આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી વગેરે ડાકે આ વખતે શ્રી સાગરાનંદસૂરિજી મહારાજના મત પ્રમાણે તિથિનું આરાધન કર્યું હતું. આ રીતે ઉત્તરોત્તર જે ઘટનાઓ બની, તેણે તિથિ અંગે આપણે સમાજમાં ભારે મતભેદ ઊભા કર્યા અને તે આજ પર્યત ચાલુ છે. હવે આ મતભેદે અંગે દરેક પક્ષને શું કહેવાનું છે અને તેમાં કેટલું તથ્ય છે? તે વિચારીએ, જેથી સાચી પરિસ્થિતિ સમજવામાં આવે. શ્રી વિજયનેમિસૂરિજીને મત પૂ. શ્રી વિજયનેમિસૂરિજી મહારાજવાળા માને છે કે સંવત્સરી જે મૂળ પાંચમની હતી, તે કાલિકાચા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy