SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ રાખીને નિવેડે લાવવાનું માથે લીધું અને બંનેની લેખિત કબૂલાતે લઈ શ્રી પી. એલ. વૈદ્યને મધ્યસ્થ રાખ્યા. શ્રી પી. એલ. વૈદ્ય બંને પક્ષનાં પિતાનાં મંતવ્યનાં લખાણે. અને સામસામાનાં ખંડને લઈ સમસ્ત પ્રશ્નને બારીકાઈથી અભ્યાસ કર્યો અને મૌખિક જુબાનીઓ પણ લીધી. પછી શ્રી વૈદ્ય બે ત્રણ માસના ગાળામાં નિર્ણય લખ્યું અને તે પ્રેસમાં છપાવવા પણ અપાઈ ગયે. દરમિયાન પૂ. આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના ભક્ત ગૃહસ્થને, નિર્ણય પોતાના ગુરુના પક્ષમાં આવ્યાની ખબર પડી. આ જાણીને એ ગૃહસ્થ પિકીના એક ગૃહસ્થ પિતાના એક ગૃહસ્થમિત્રની, કે જે ગૃહસ્થ પૂ. આચાર્ય શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીના ભક્ત હતા, તેમને તારથી સમાચાર આપ્યા. એ તાર મળતાં એ ગૃહસ્થ એ તાર પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીને કપડવંજ મોકલી આપે. એ તારને વાંચી લઈને પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ શેઠશ્રી કસ્તુરભાઈને જણાવી દીધું કે- શ્રી વૈદ્યને નિર્ણય તેમને માન્ય નથી. અત્રે અમારે કહેવું જોઈએ કે-જે પૂ. આચાર્ય શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ભક્તગૃહસ્થ ઉપર જણાવી તેવી ભૂલ ન કરી હોત તે જે ગંભીર પરિણામ આવ્યું તે આવત નહિ અને પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પણ એ નિર્ણય જાણ્યા પછી છેવટે લવાદની પ્રમાણિકતાને નિર્ણય લઈને ય પિતાનાં વચનને વળગી રહ્યા હતા તે પણ જે ગંભીર પરિણામ આવ્યું તે આવત નહિ. શેઠશ્રી કસ્તુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001775
Book TitleTithi Ange Tarkhadat Kem Thayo
Original Sutra AuthorN/A
AuthorAnilkumar Jain
PublisherKantilal Maneklal Shah Ahmedabad
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy