SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભયંકર શાસ્ત્રાજ્ઞાના લોપનો પ્રસંગ કહેવાય ?' ('જિનવાણી'ની પટ્ટક સમીક્ષામાં સમીક્ષણ કેટલું?' પુસ્તિકામાંથી) આ નિવેદન કે જે અમુક વર્ગને બહાર પડે તે ગમતું ન હતું, સ્વ.પૂ.આ.શ્રી પ્રેમ સૂ.મ. જે મિ.દુ. કહ્યા છે, એ જણાવે છે કે સંઘથી અલગ પડીને કરેલી એ આરાધનામાં ભાવસત્ય હણાયેલું હતું એમ તેઓ માનતા હતા. નહીંતર મિ.દુ.આપવાનું હોય જ નહી, એ સ્પષ્ટ છે. વળી, વિ.સં. ૨૦૧૯ આ.સુ.૧ નો જાવાલથી લખેલ તેઓનો નીચેનો ફરમાન પત્રાંશ પણ આ વાતને સૂચિત કરે જ છે. ટૂંકમાં ૧૯૯૨ પહેલાં જે પ્રવૃત્તિ સંઘમાં ચાલતી હતી તે પ્રવૃત્તિ કાયમ રાખવી એવું મારું સ્પષ્ટ ફરમાન છે. તેમ છતાં કદાચ કોઈ ન માને તો તેની ઉપેક્ષા કરીને પણ સંઘનો ઝગડો રાખવો નહીં. તથા “ફેરફાર કરવાનું કામ સકળસંઘનું છે,કોઇ અમુક વ્યક્તિનું નહી.' આવું તેઓશ્રીએ જે જણાવ્યું છે તે આ સૂચિત કરે છે કે – (૧) સકળસંઘને ફેરફારકરવાનો અધિકાર છે. (૨) સકળ સંઘ ફેરફાર કરીને (કે એ વગર પણ) જે કાંઈ ઠેરવે એમાં ભાવસત્ય છે, આરાધના છે, વિરાધના નથી. (૩) કોઈ અમુક વ્યક્તિને ફેરફાર કરવાનો અધિકાર નથી. (સ્વ.પૂ.આ.શ્રી દાન સૂ.મ.સાહેબે પણ આવું જણાવેલું જ છે. જુઓ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ પ્રકાશિત વિવિધ પ્રશ્નોત્તર પાનું ૩૪૬ ઉપર તેઓશ્રીએ જણાવ્યું છે કે “કોઈપણ એક મનુષ્ય સ્વમતિથી જો કોઈપણ નવો ફેરફાર કે ગરેડ પાડવા માંગે તો તેમ કરવાનો હક તેને શ્રીસંઘ અને શાસનની પ્રણાલિકા બિલકુલ [ ૧૮ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001771
Book TitleTithi Ange Satya ane Samadhan Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherKantilal Chhaganlal Shah Mumbai
Publication Year
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy