SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૪ર સુધી) કરી તેનું હજી સુધી પ્રાયશ્ચિત નથી કર્યું ! મહા આશ્ચર્યમ્ ! લેખકશ્રીના ભક્તો પણ એટલા ભોળા નથી કે લેખકશ્રીની તદન વાહિયાત વાત પણ માની લે. તિથિ બાબતમાં સ્વ.આ.પ્રેમ સૂ.મ.સા. એ પ્રાયશ્ચિત કર્યું તેમ કહેવાની ધૃષ્ટતા કરનાર લેખકશ્રી તેજ ગુરૂભગવંતનું ગ્રહણ અંગેનું શાસ્ત્રીય માર્ગદર્શન જે પ્રખર પંડિત કુંવરજીભાઈ આણંદજીને બતાવેલું તેને હવે પછી વફાદાર રહેશે ? કે પછી તેમાં પણ સ્વ.આ.પ્રેમ સૂ.મ.સા.એ પ્રાયશ્ચિત કર્યું તેમ કહેશે ? સ્વ.આ.ભ.પ્રેમસુરિ મ. ૩૧-૭-૪૪ના પત્રના પ્રત્યુત્તરમાં જણાવે છે કે, “ગ્રહણ વખતે દેરાસરો ઉઘાડા રાખવાની અને વ્યાખ્યાન વાંચવાની જે પ્રવૃત્તિ કરવામાં આવી તેમાં આપ સમ્મત છો” આવો પ્રશ્ન પુછવાનું થયું તેજ આશ્ચર્યજનક છે. કારણકે મારા સાધુઓ કોઈપણ શાસ્ત્રથી અબાધિત પ્રવૃત્તિ કે પ્રરૂપણા કરે તેમાં મારી સંમતિ જ હોય અને આ પ્રવૃત્તિ શાસ્ત્ર બાધિત નથી. આરાધ્યપાદ સંઘસ્થવિર, શાંતતપોમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા શ્રી જૈન વિદ્યાશાળામાં વિરાજમાન છે ત્યાં મંદિર પણ ખુલ્યું હતું અને વ્યાખ્યાન પણ ચાલુ હતું. ગ્રહણને અંગે સૂત્રનો અસ્વાધ્યાય છે પણ દર્શન-પૂજનનો તથા ઉપદેશ આદિનો પણ નિષેધ તો અમે જાણ્યો નથી અને આચર્યો પણ નથી.” લેખકશ્રીએ ગ્રહણ અંગેની પૂ. ગુરુભગવંત પ્રેમ સૂ.મ.ની માન્યતાની વફાદારી પણ છોડી. સામે ચાલીને સામાપક્ષે ગયા છે માટે તેઓ જે કરે તેમાં મનુ માર્યા વિના લેખકશ્રીને છૂટકો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001769
Book TitleEk Tatastha Samiksha Part 2
Original Sutra AuthorN/A
AuthorKiran B Shah
PublisherKiran B Shah Mumbai
Publication Year
Total Pages72
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy