SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પક્ષની અભ્યનુજ્ઞાવાળો હોવાથી? ૫, શાપને પ્રતિપાદન કરનાર હોવાથી ? ૬. અથવા પોતે સ્વીકારેલ વસ્તુથી વિરુદ્ધ હોવાથી ?, અપ્રમાણ માનવામાં આવે છે ? તેમાંનો પહેલો હેતુ અસિદ્ધ છે, કેમ કે-આગમમાં અથવા શાસ્ત્રમાં પ્રત્યેક વાક્યને પ્રામાણિક તરીકે જો નિઃશંકપણે અનુમોદન કરવામાં આવે છે, તો ચારપત્રવાળા ગ્રંથની શી વાત? અને જો ચારપત્રવાળા ગ્રંથનું પ્રામાણ્ય ન જ હોઈ શકે, તો મધ્યસ્થ અવશ્ય પ્રમાણ સાથે એ કહેવું જોઈએ કે-સો પત્રવાળા, હજારપત્રવાળા અથવા તેનાથી ન્યૂનકે અધિક કેટલા પત્રોના પ્રમાણવાળા ગ્રંથનું પ્રામાણ્ય થઈ શકે? તે પ્રત્યેકમાં પણ વ્યભિચાર (દોષ) મસ્તક પર ધારવો જોઈએ જ-એમ અવશ્ય અનુસંધાન કરવું જોઈએ. હવે બીજે હેતુ પણ અસિદ્ધજ છે, કારણ કે વિજયદેવયાનામ્ એ પદ વડે કર્તા જાણવામાં આવે છે. કદાચ એવી શંકા કરવામાં આવે કે- ગ્રંથના મધ્યમાં અથવા ગ્રંથના અંતમાં વિજયદેવીયાનામ્ એવા નામનો ઉલ્લેખ જોવામાં ન આવતો હોવાથી આદિમાં જોવાતું વિજયદેવીયાનામ્ એ પદ સંપાદકે જ જોડી દીધું છે. તો એમ કહેવું યુક્ત નથી; એ માત્ર સોગનથી જ નિર્ણય કરી શકાય તેવું છે. કારણ કે-શ્રીમેન(વિજ્યસેન) સૂરિની પરંપરામાંથી શ્રીવિજયદેવસૂરિજી અને વિજ્યાનંદસૂરિજી પોતપોતાના નામના ગચ્છના પ્રવર્તકો થઈ ગયા છે. સમસ્ત તપાગચ્છવાળાઓને જાણીતું હોવાથી, અને આ ગ્રંથમાં વિજયાનંદસૂરિજીના મતનું ખંડન પ્રાપ્ત થતું હોવાથી, વિરોધિપણાથી રામાન વગેરેની જેમ, અને વ્યવહાર-પરંપરાદ્વારા વિજયદેવ(સૂરિ)નું કનૃત્વ સિદ્ધ થાય છે. વિશેષમાં મધ્યસ્થથી એવી પ્રતિજ્ઞા કરી શકાય તેમ છે ? કે સર્વ ગ્રંથોમાં ગ્રંથની આદિમાં, ગ્રંથની મધ્યમાં, અને ગ્રંથના અંતમાં ગ્રંથકારે પોતાનું નામ નિર્દેશ કરેલું જ હોય. જે હા કહી એ સ્વીકારવામાં આવે તો પૂછી શકાય કેમનુજી વગેરેએ પણ મનુસ્મૃતિ વગેરે તે તે ગ્રંથમાં પોતાનું નામ કેમ દર્શાવ્યું નથી ?, અથવા (મહાકવિ) કાલિદાસ વગેરેએ પોતાના રચેલા મહાકાવ્યોમાં પણ ત્યાં ત્યાં પોતાનું નામકેમ દર્શાવ્યું નથી? બહુકહેવાથી શું? પ્રાચીન ગ્રંથકારોએ રચેલા કેટલાયગ્રંથોમાં ગ્રંથકારે નિર્દિષ્ટ કરેલ નામ પણ પ્રાયે જોવામાં આવતું નથી, અને પ્રામાણ્ય સ્વીકારવામાં આવે (૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001765
Book TitleParvatithini Kshay Vruddhi Na j Thay te Angena Shastriya Puravadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year2005
Total Pages54
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy