SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે “ઉદયમેિ જા તિહી.'થી સૂર્યોદય વખતે જે પર્વતિથિ હોય, તેને તે પર્વતિથિ ગણીને તે નિમિત્તક આરાધના કરવી. સામાન્ય તિથિ પણ એ રીતે જ નક્કી થાય. તો પછી ક્ષય અને વૃદ્ધિ તથા પૂર્વા અને ઉત્તરા શબ્દોની સંગતિ થશે નહીં. તો તેની સંગતિ શી રીતે કરવી ? (પ) ત્યારે પ્રકરણને અનુસરીને - પર્વતિથિનો ક્ષય હોય ત્યારે (સતિસમીનો અર્થ કરવાથી) અને “ક્ષયે તથા વૃદ્ધોની' પહેલાં પર્વતિથિ શબ્દો જોડવાથી, તે જોડીને અર્થ કરવો. એટલે કે, પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પ્રથમની તિથિ કરવી, તથા પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે પછીની તિથિ કરવી. પર્વતિથિનો ક્ષય અને પર્વતિથિની વૃદ્ધિ એટલે શું? આ બાબતની વિચારણા થોડીવાર પછી કરીશું. પ્રથમની તિથિ કરવી અને પછીની તિથિ કરવી એટલે શું? પર્વતિથિનો ક્ષય હોય ત્યારે, પ્રથમની તિથિને પર્વતિથિ તરીકે કરવી. અને પર્વતિથિની વૃદ્ધિ હોય, ત્યારે પછીની પર્વતિથિને પર્વતિથિ તરીકે કરવી આવો અર્થ થશે. પર્વતિથિ નથી, અથવા બે છે, તો પર્વતિથિ શી રીતે કરવી ? આ ગુંચવણના ઉકેલ માટે આ પ્રઘોષ ખાસ સાધન છે એ આ ઉપરથી નક્કી થાય છે. ૯ તો, લય - વૃદ્ધિની તિથિની માસિક કે પાક્ષિક સંખ્યાનો મેળ શી રીતે મેળવવો? Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.001762
Book TitleParvatithi Angeni Saral Sachi ane Shastriya Samjan
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherVardhaman Jain Pedhi
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy