SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ છેિ. તેમાં ઘણી બાબતો શાસ્ત્રોમાં ન હોય કે જુદી રીતે હોય તેવી પણ ચાલતી હોય તેને કે બીજી યોગ્ય ચાલતી હોય છતાં કોઈને તેમાં ફેરફાર કરવો યોગ્ય લાગે તો પોતાની ઈચ્છા પ્રમાણે સહુ ફેરફાર કરવા લાગી જાય તો શાસન ડહોળાઈ જ જાય કે બીજું કાંઈ? તેમ કરવાની પૂર્વ પુરુષોની મનાઈ છે. આજની ભૌતિકવાદી વિચારધારાથી ઘણાના જુદા જુદા વિચારો હોય છે અને ઘણી ઘણી ભ્રમણાઓથી પણ સાચી લાગતી બાબતો છે તો તેઓને પણ પોતાની ઈચ્છા પ્રમાણે ફેરફાર કરવા દેવો જોઈએ તેમ થવાથી શાસન કેટલું ડોળાય? શ્રી સંઘ આગળ વાત મુકીને સમજાવી કબુલ કરાવી સૌની સાથે અમલ કરી શકાય ચર્ચા વિચારણા થાય, પણ અમલ કરવામાં શિસ્તનો આશ્રય લેવો જ જોઈએ. (૧૦) બાર તિથિની બાબતમાં તપાગચ્છના અગ્રગણ્ય અન્ય આચાર્યો ઉપર આપણે અસર પાડી શક્યા નથી. આપણે જ ગીતાર્થ છે અને તેઓ નહિ એમ કહેવાનો કે માનવાનો આપણને અધિકાર શો? તેમજ અન્ય ગીતાર્થોએ અવારિત આચરણા હોય તે પ્રભુની આજ્ઞા બરાબર ગણાય. પરંતુ તે વારિત હોય જેની સામે વિરોધ પ્રવર્તતો હોય તેને ચાલુ રાખવાનો અધિકાર શો? કયો એવો મુદ્દો છે કે આપણે કરેલી ભુલને સંઘને માટે વળગી રહી શકીએ. (૧૧) શિસ્તની ભૂલ કર્યા પછી તેનો અમલ કર્યા પછી તે ભૂલ ન સુધારતા-ને સમજાવ્યા પછી ભૂલ સમજાય તો છોડવાનો આગ્રહ કરવો અને સમજાવવાની જવાબદારી સામે નાંખવી તેમાં તર્ક શુદ્ધ તત્વ કયું છે? ભૂલ સુધાર્યા પછી જ સમજવાની માંગણી કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે પહેલા નહિ જ, આ તર્કશુદ્ધ સ્થિતિ છે. એ જાતની માંગણી કરવાનો અધિકાર જ પ્રાપ્ત થતો નથી. એવી માંગણી જ તર્કથી વિરુદ્ધ અને અનબંધબેસતી છે હા, એ તર્કને હજી પણ કદાચ સ્થાન આપી શકાય કે શિસ્તની ભૂલ ન સુધારવામાં આવે ત્યાં સુધી ભૂલ કરનારની વાત પણ ન સાંભળવી અને તેને સમજાવવાનો પ્રયત્ન પણ ન કરવો, આ જાતનો શાસનનો કોઈ બંધારણીય નિયમ જાણવા માટે જાણવા માગવો જોઈએ. નહીં કે તેની ફરજ પાડવી જોઈએ અને તેઓ કોઈ નિયમ બતાવે પછી તેની સમજૂતી માંગવાનો અને છોડવામાં વિલંબ કરવાનો રહેતો નથી, આ ન્યાયી સ્થિતિ છે. બારતિથિના પ્રશ્નમાં એકતરફ શ્રી સંઘ છે અને બીજી તરફ ચાલુસ્થિતિમાં પરિવર્તન કર પક્ષ છે. સંઘ આ બાબતમાં પક્ષકાર નથી. ૩૩ - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001761
Book TitleParvatithicharcha Patro
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2005
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy