SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ જ પણ ખ્યાલ હોવો જોઈએ કે મારે નિર્ણય જૈન સમાજમાં કંઈ માનવા નથી માટે તે મનાવવા નિર્ણયપત્રની શરૂઆતમાં “આ નિર્ણયપત્ર માનવું જોઈએ તેવા કરારને તેમણે રજુ કરેલ છે. ખરી રીતે તેમણે તેમનો નિર્ણય આપ જોઈએ અને તે નિર્ણય ન માને ત્યારે આ કરાર તે શેઠશ્રી કસ્તુરભાઈએ રજુ કરવું જોઈએ. પરંતુ નિર્ણય છાપતાની સાથે જ આ કરારને શ્રી. ડો. પી. એલ. વૈધે રજુ કર્યો છે, તે તેમના નિર્ણય નહિ સ્વીકારાવાની પ્રતીતિના પ્રતીક સમાન છે. આ કરાર મુજબ શ્રી વૈદ્ય બનેએ ઉપસ્થિત કરેલા મુદ્દાઓ ઉપર વિચાર દર્શાવવા બંધાયેલા છે. છતાં આખા લખાણમાં પૂર્વપક્ષ કે ઉત્તરપક્ષ તરફના મુદ્દાનો ઉલ્લેખ, તેનું નિરૂપણ, પુરાવા, સમાધાન, દોષ કે ખંડન વિગેરેમાંનું કંઈ પણ નિર્ણયપત્રમાં આપવામાં આવ્યું નથી. ૪ બન્ને પક્ષના આચાર્યોએ પિતાના સમર્થનનું લખાણ કર્યું તેના આધારે લવાદે નિર્ણય આપવાનો હતો. છતાં આ ડે. વૈદ્યના નિર્ણયમાં મુદ્દાના સમર્થનના લખાણને મુદ્દલ સ્થાન આપવામાં આવ્યું નથી. (પૃ. ૩ની સમાચના) 3. પી. એલ. વૈષે શરૂઆતમાં “ઉત્તિ નિવાર એ હેડીંગ બાંધી ૩૪ બે પાનામાં સંક્ષેપ નિર્ણય આપે. પછી બન્નચરથચિત્રF' એ હેડીંગ બાંધી વિસ્તારથી નિર્ણય પાના ૫-૨૨ સુધીમાં આવે અને પિત્તો નિયa એ હેડીંગને બદલે “નિયામને નિય' એ હેડીંગ બાંધી “સત્તનો ના નું અક્ષરે અક્ષર લખાણ પાના ૨૨-૨૩-૨૪માં આપ્યું છે. આ. વિજયરામચંદ્રસૂરિજીએ સંક્ષેપ નિર્ણય નહિ છપાવ્યું તેનું કારણ આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીએ વૈદ્યના નિર્ણયને સ્વીકારી તેના પ્રચારાર્થે હજારોની સંખ્યામાં તેની નકલે છાપી ખુબ પ્રચાર કર્યો. પરંતુ તે નિર્ણય છપાવતાં શરૂઆતને “સંક્ષેપ નિર્ણય કે તેનું ભાપાર ન છપાવ્યું. સૂફમદષ્ટિથી નહિ જેનારને એમજ લાગે કે આગળ પાછળનું લખાણ એક હેવાથી પાછળનું લખાણ છપાવ્યું અને આગળનું નહિ છપાવ્યું હોય પરંતુ જીણવટથી તપાસતાં તે નહિ છપાવવામાં આચાર્ય વિજયરામચંદ્રસૂરિજીની આ નિર્ણયમાં ઘાલમેલ છે તે સ્પષ્ટ જણાવે છે. ૧ શરૂઆતમાં સંક્ષેપ નિર્ણય અને પછી વિસ્તારથી નિર્ણય આપ્યા પછી ફરી સંક્ષેપ નિર્ણય આપ્યો તેનું કારણ આ. વિજયરામચંદ્રસૂરિજીને લાગ્યું કે કલ્યાણક સંબંધીના મતભેદને ખુલા તો કઈ જગ્યાએ થતું નથી માટે કલ્યાણકની વાત આવવી જોઈએ તેવા આશયથી ડો. પી. એલ. વૈદ્યને દબાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy