SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી, તે સર્વ તિથિમાં એ શાસ્ત્રને ઉપયોગ નથી.” એ જ મધ્યસ્થને અનુમત હેવાથી સાધારણ પર્વ અને અપર્વતિથિ વિષયવાળું આ વચન બે પર્વતિથિ વિષયના મધ્યસ્થના મંતવ્યને અનુકૂળ છે, એ નિર્ણય કઈ રીતે થઈ શકે ? એ પણ વિચારવા જેવું જ છે. શ્રીજેનાગમને અનુસારે જે નિયત આરાધના કરવા યોગ્ય તિથિઓ ન હોય તો અનિયત આરાધવા યોગ્ય હોવાથી, રુચિ પ્રમાણે અનુષ્ઠાન કરવા યોગ્ય હોવાથી, તિથિઓની વૃદ્ધિ અને તેના ક્ષય-પ્રસંગે તેની આરાધના માટે કઈ તિથિ સ્વીકારવી જોઈએ? એ વિષયમાં ભિન્ન પ્રસ્થાન-જૂદું પ્રયાણ જ ન સંભવે, તે પછી તેવા પ્રકારના મધ્યસ્થના નિર્ણયને અવસર જ કે? એથી સાતમા વિવાદપદને પણ અવકાશ નથી. એવી રીતે કહેલાં વિવાદપદને અને તેના કેટલાક નિર્ણને અવકાશ નથી, અને પિતાના મંતવ્યને પણ અનુકૂળ નથી–એ વ્યવસ્થાપિત કરવામાં આવ્યું. નિર્ણય કરવા ગ્ય વિષય સાથે સંબંધ ધરાવતું બીજું પણ, બંને પક્ષેને જે વિવાદાસ્પદ હોય, તેનો જ મધ્યસ્થ નિર્ણય કરે જોઈએ. એથી મધ્યસ્થ કપેલાં તે તે વિવાદ-પદેના વિષયમાં બંને પક્ષવાળાને વિવાદ નથી, અને પૂર્વે કહેલા જે ત્રણ વિષયોમાં વિવાદ છે, તેને પ્રધાનપણે નિર્દેશ અને નિર્ણય મધ્યસ્થ ન જ કર્યો, એથી અન્ય વિષયના નિર્ણય માટે પ્રવૃત્ત થયેલા. ગાય લાવવા કહેવાયેલો મનુષ્ય ઘડાને લાવતાં જેમ ઉપેક્ષા કરવા એગ્ય થાય છે.” તેવી રીતે ઉપેક્ષા કરવા ચોગ્ય મધ્યસ્થ મધ્યસ્થપણાને તજે છે જ. તેથી નિર્ણયપત્રની પત્ર-સંખ્યા પૂરી કરવા માટે, પિતાનું સંસ્કૃત ભાષાનું અભિન્નપણું દર્શાવવા માટે મધ્યસ્થની આટલે લેખનો આડંબર થયે છે–એ સાચું છે. વિશેષમાં શ્રીજેનાગોને અનુસારે નિર્ણય કરવાને છે–એ રીતે નિયમિત થયેલ મધ્યસ્થ, તે જ શ્રીજેનામોનું અથવા જૈનશાસ્ત્રોનું અપ્રમાણિકપણું અને શાસ્ત્રાભાસપણું ઉચ્ચારતાં મધ્યસ્થ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. મધ્યસ્થ માત્ર વિજયદેવ સંબંધી મત્ર-પત્રક વગેરેમાં જ સંશય કરીને તેનું અથવા તેના જેવા બીજાનું અપ્રમાણિકપણું અથવા શાસ્ત્રાભાસપણું પ્રતિપાદિત કર્યું છે. બીજાં આગમનું નહિ,” એમ કહી શકાય તેમ નથી. હાલમાં એમનું કથન “કલિંગમાં ગયે જ ન હતો. એ વગેરેની જેમ અપલાપમાત્ર ગણાય. નિર્ણયપત્રના ૧૩ મા પૃષ્ઠમાં તેમણે જણાવ્યું છે કે-“એવી રીતે આચાર્ય શ્રીસાગરાનંદસૂરિજીએ ઉમાસ્વાતિજીના વચનને પોતાને અભીષ્ટ અર્થ સિદ્ધ કરવા માટે જે શાસ્ત્રો ઉપસ્થિત કર્યો, તે શાસ્ત્રાભાસ જ છે.” એમ મધ્યસ્થ કહ્યું છે. અને એવી રીતે આમાં ઉમાસ્વાતિજીના વચનની વ્યાખ્યા માટે પ્રમાણભૂત જે બીજી કઈ પણ છાપેલી ચેપડીઓ જોઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy