SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ વિધાન કરનાર છે–એવા અભિપ્રાયથી “પૂર્વ તિથિને પર્વતિથિ કરવી જોઈએ.” એવી રીતે જે વ્યાખ્યા કરવામાં આવે તે “પૂર્વ તિથિમાં તેનું આરાધન કરવું જોઈએ. એવી રીતે મધ્યસ્થ કરેલી પહેલી વ્યાખ્યા સાથે વિરોધ થાય છેએ રીતે મધ્યસ્થ પહેલાં કહેલ બે પ્રકારના વાક્ય દ્વારા એક પણ વ્યાખ્યા નિશ્ચિત કરવી અશક્ય જ થાય છે. એવી રીતે “ઉમાસ્વાતિજીના વચન તરીકે પ્રસિદ્ધ ઉપર્યુક્ત અર્ધા શ્લોકને ઉદ્દેશી ઉપર્યુક્ત બંને આચાર્યોને તિથિ-ક્ષયવૃદ્ધિ વિષયમાં મોટો મતભેદ પ્રકટ થ” એવું મધ્યસ્થ પ્રથમ કથન કરી, એ વચનને ઉશી ઉત્પન્ન થયેલા બે મતમાં કયો તાત્વિક રીતે શ્રેષ્ઠ છે? એને નિર્ણય પણ, મધ્યસ્થ તે વચનની વ્યાખ્યાને નિર્ણય કરે ત્યારે સંભવે છે, પરંતુ ઉપર કહેલી રીતે તેને નિર્ણય ન થતાં મધ્યસ્થમાં નિર્ણાયકપણું નથીએ વિદ્યાથી વિશુદ્ધ હૃદયવાળા વિદ્વાને વિવેચન કરે. તે કારણથી, આ શાસ્ત્રવડે “સપ્તમી વગેરેમાં ક્ષીણ અષ્ટમી વગેરે તિથિ કરાય છે. એવા મધ્યસ્થના વાક્ય વડે પર્વતિથિને સ્વીકારીને અને “ક્ષય હેય ત્યારે પૂર્વતિથિમાં તેનું આરાધન કરવું જોઈએ.' એવા વચનથી મધ્યસ્થ કરેલી વ્યાખ્યા દ્વારા પર્વતિથિને સ્વીકાર્યા સિવાય, એવી રીતે બંને વિષયની પ્રાપ્તિ થવાથી “પર્વતિથિને સ્વીકારીને કે ન સ્વીકારીને તેનું આરાધન કરવું જોઈએ?” એ વિષયમાં મધ્યસ્થને પણ સંમેહ જ છે. એમ સિદ્ધ થાય છે. એવી રીતે છઠ્ઠો વિવાદ વિષય-“જેનાગ અને જેનશાસ્ત્રોમાં આ શાસ્ત્રને ઉદ્દેશી તિથિઓને પર્વ, અપર્વરૂપ વિભાગ નથી જ”—એ મધ્યસ્થને નિર્ણય પણ પિતાના મંતવ્યને અનુકૂળ થતું નથી, કારણ કે મધ્યસ્થના આ નિર્ણય વડે “પર્વ અને અપર્વ સાધારણ તિથિના વૃદ્ધિ અને ક્ષયના પ્રસંગે આને ઉપયોગ કરવો જોઈએ.” એ જ સિદ્ધ થાય છે, પરંતુ તેની આગળ પર્વ પછીની પર્વતિથિઓ પૂર્ણિમા વગેરે ક્ષીણ થતાં, તેની પહેલાં રહેલી ચતુર્દશી પાક્ષિક માટે ઉપયોગી હોવાથી, તેનું (પૂર્ણિમાનું ) આરાધન–અનુષ્ઠાન ત્રદશીએ અથવા પડેવે યથારુચિ કરવું જોઈએ.” એવા કથનવડે એ શાસ્ત્રને તે તે પર્વતિથિઓમાં પણ ઉપયોગ જ નથી–એવું મધ્યસ્થ સિદ્ધ કર્યું, તે પછી સાધારણ તિથિઓની શી વાત ? બહુ કહેવાથી શું ? “સંવત્સરી અને પાક્ષિકે પ્રતિક્રમણ એ બે આરાધનાઓ જ તિથિ-નિયત છે.” એવા મધ્યસ્થના આગળના નિર્ણય વડે ભાદ્રપદ શુકલ ચતુથી અને ચતુર્દશી બે જ પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે તે બે નિયત આરાધ્ય દેવાથી પૂર્વ તિથિમાં, અને ઉત્તરતિથિમાં જ તેના આરાધના માટે એ શાસ્ત્રને ઉપગ છે. બીજી તિથિઓ ક્ષીણુ હોય કે વૃદ્ધિ પામેલી હોય, અને પર્વતિથિ હોય કે અપર્વતિથિ હેય, તે પણ તે અનિયત આરાય હોવાથી, ચિ પ્રમાણે અનુષ્ઠાન કરવા ગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy