SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તથા પર્વ પછી તરત જ આવતી પર્વતિથિઓ પૂર્ણિમા વગેરે ક્ષય પામેલી પ્રાપ્ત થાય, ત્યારે તે તિથિઓ પણ પર્વતિથિ હેઈ નિયત આરાય હેવાથી ટીપણામાં આવેલી પહેલાં રહેલી ચતુર્દશીએ તે જ શાસ્ત્રવડે પૂર્ણિમાને ઔદયિકી કરી આરાધન કરવું જોઈએ, અને ટીપણામાં આવેલી ત્રાદશીએ (તેરશે) તે જ શાસ્ત્રવડે ચતુર્દશીને ઔદયિકી કરી તેનું આરાધન કરવું જોઈએ. એવી રીતે પૂર્ણિમા વગેરેની વૃદ્ધિ હોય ત્યારે પાછળની તિથિએ પૂર્ણ માનું અને પહેલી તિથિએ ચતુર્દશીનું આરાધન કરવું જોઈએ. તેમ કરતાં વાસ્તવિક રીતે ત્રદશીની જ વૃદ્ધિ થઈ. એવી જ રીતે ભાદ્રપદ શુકલપંચમીને પણ પર્વ પછી તરત જ આવેલી પર્વતિથિરૂપે સ્વીકારવી જોઈએ; એથી તેને ક્ષય કે વૃદ્ધિ આવે તો વાસ્તવિક રીતે તૃતીયાને જ ક્ષય કે વૃદ્ધિ કરવી જોઈએ. તેથી પર્વ પછી તરત જ આવતી પર્વતિથિની ક્ષય કે વૃદ્ધિ જોવામાં આવે ત્યારે ખરી રીતે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની જ ક્ષય અને વૃદ્ધિ કરવી જોઈએ-આ તે આ શાસ્ત્રને તાત્પર્યાર્થ છે. કલ્યાણતિથિઓ પર્વતિથિ હોવા છતાં પણ તેની વૃદ્ધિ કે ક્ષયના પ્રસંગે સર્વત્ર આ શાસ્ત્રનો ઉપયોગ ન જ કરવો જોઈએ, પરંતુ બહુ વ્યવહારમાં આવેલી પર્વતિથિમાં જ ઉપયોગ કરવો જોઈએ. શાસ્ત્ર-સિદ્ધ અને આથી જ આજ સુધી અનેક મહાપુરુષોએ આચરેલી શ્રીદેવસૂરિની સમાચારીનું છતવ્યવહારથી સિદ્ધ પ્રમાણિકપણું અવશ્ય શ્રીસંઘે સ્વીકારવું-માનવું જોઈએ. લેકોત્તર વિષયમાં, ચંડાશુગંડુ પંચાંગનું પ્રમાણ શ્રીસંઘને અનુમત ન હોવાથી, તેનું પ્રામાણિકપણું જીતવ્યવહારથી સિદ્ધ થતું નથી-મત્સરરહિત સુ એ વિચારણાની સમાલોચના કરે. ડૉ. પી. એલ. વૈદ્ય મધ્યસ્થ જ નથી. બંને પક્ષ અને પ્રતિપક્ષનું સ્વરૂપ જાણી લીધા પછી પર્વતિથિના અથવા પર્વ પછી તરત જ આવતી પર્વતિથિને વૃદ્ધિ અને ક્ષય પ્રસંગે શ્રીજેનાગમને અનુસાર તેની આરાધના માટે કઈ તિથિ સ્વીકારવી જોઈએ ? તથા તેને પર્વતિથિ તરીકે સ્વીકારીને કે ન સ્વીકારીને તે આરાધવી જોઈએ? એના નિર્ણય માટે જ મધ્યસ્થને સ્વીકાર કર્યો હતો. | મધ્યસ્થ પણ નિર્ણયપત્રના પહેલા પત્રમાં જ તે કથન કર્યું છે કે-જ્યારે જોધપુરના ચડશુગંડુ પંચાંગમાં તિથિને, ખાસ કરીને પર્વતિથિનો ક્ષય અથવા વૃદ્ધિ પ્રાપ્ત થાય, ત્યારે આરાધના માટે કઈ તિથિ સ્વીકારવી જોઈએ ?” આ વિષયને ઉદ્દેશી ઉપર જણાવેલા બંને આચાર્યો (શ્રી સાગરાનંદસૂરિજી અને વિજયરામચંદ્રસૂરિજી)નું જૂદા પ્રકારનું જ પ્રસ્થાન પ્રકટ થયું, તેથી આ વિષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy