SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ બા. રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન. ન, કાન, નનનનનન નિપજાવી શકવાને પણ અસમર્થ હોય તે અન્યના તેથી પણ વધારે સમર્થ ફળને નિપજાવી શકે કે નહિ ?” એ જે પ્રશ્ન છે તેને ઉત્તર પણ મળી રહે છે. ગ્રન્થકારશ્રીએ નપુંસક માસમાં શોભન કાર્યોના પરિહાર કરવાની સાક્ષી આપીને નપુંસક તિથિમાં પણ શેભન કાર્યોને ત્યાગ કરવાનું સૂચન કર્યું છે આથી પૂનમ અમાસની વૃદ્ધિએ નપુંસક એવી પ્રથમ પૂનમ અમાસે પાક્ષિક પર્વ અને ભા. શુ. ૫ ની વૃદ્ધિએ નપુંસક એવી ભા. શુ. પ્રથમા પંચમીએ સાંવત્સરિક પર્વ માનવા આરાધવાનું આચાર્યશ્રી સાગરાનંદસૂરિજીનું મન્તવ્ય શાસ્ત્રથી સર્વથા વિરૂદ્ધજ પુરવાર થાય છે. જે નપુંસક તિથિ પિતાનું નામાંતિ કાર્ય નિપજાવી શકવાને અસમર્થ હોય તે નપુંસક તિથિ મહાપર્વના કાર્યને નિપજાવવાને સમર્થ બને, એ સર્વથા અસંભવિત વસ્તુ છે. જે નપુંસક પોતાના અમુક વસ્તુ અમુક કાર્યને અંગે અસમર્થ હોય તો પણ તેજ વસ્તુ તેનાથી અધિક કાર્યને અંગે સમર્થ ન જ થાય એવો નિયમ નથી. રસધથી તામ્ર રૂપું ન બને તેથી તેનું પણ ન બને એમ તો નથી જ. તેમ નપુસક પણ સંતાનની ઉત્પત્તિ અંગે અસમર્થ છતાં પણ યુદ્ધ જેવા મહાન કાર્યોને અંગે અસમર્થ હોય છે એમ નથી. એટલે વૃદ્ધિ પામેલી પૂર્ણિમા પોતાના કાર્યને અંગે અસમર્થ હોય તે પણ તેનાથી જુદા એવા પફખી અગર ચોમાસના કાર્ય માટે અસમર્થ ગણાય નહિ. અને તેથીજ શાસ્ત્રકારે તેના નામનાજ કાર્યમાં નપુંસકતા કહી છે. જ્યારે આ ન વર્ગ તો અન્ય કાર્યમાં પણ અસમર્થ ગણાવવા તૈયાર થાય છે. આથી એ વર્ગે પોતાની આચરણ ઉપર ધ્યાન આપ્યા સિવાય પિતાના પુરાવામાં માત્ર પાઠ લખીને સંતોષ ન માનવો જોઈએ. આ સ્થાને શાસ્ત્રકાર બીજા અવયવને પર્વતિથિના નામનું કાર્ય કરનાર ગણાવતાં અનાદિ સિદ્ધ પરંપરા જણાવે છે. એટલે આ વને જે પરંપરા છોડવાનું થયું છે, તે કેઈપણ પ્રકારે ઉચિત નથી એમ સ્પષ્ટ થાય છે. જો કે પર્વ કે પર્વાનનર પર્વતિથિની હાનિ વૃદ્ધિ વખતે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિની હાનિ વૃદ્ધિ કરવાનું શાસ્ત્રના પાઠોથી પણ સિદ્ધ છે. અને સાથે પરંપરાથી પણ સિદ્ધજ છે. માત્ર વિ. સં. ૧૯૯૧ પછી આ નવા વર્ષે પરંપરા અને શાસ્ત્ર બંનેને તિલાંજલિ આપીને આ નવો વર્ગ ઉભે કર્યો છે. આ આખે અધિકાર પહેલી આઠમ કે પહેલી ચૌદશ વિગેરે તિથિઓમાં આઠમ કે ચૌદશનું કાર્ય કરવાના નિષેધને માટે છે. અથાંત અન્ય તિથિના કાર્યોનો અહિં નિષેધ જ નથી. અને આ ન વર્ગ તે અન્ય પર્વતિથિના કાર્યને પણ નિષેધ કરવા માટે આ પાઠને આગળ કરે છે. પરંતુ તેઓએ વૃદ્ધા પ્રથમા તિથિને માટે પોતાના કાર્યમાં કહેલું નપુંસકપણું-અસમર્થપણું વિચારવું જરૂરી છે. એટલે પૂનમ કે અમાવાસ્યા વધેલી હોય તો તે પહેલી પૂનમ કે અમાવાસ્યાના કાર્યને અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy