SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પર્વવ્યપદેરા મંતવ્યભેદ, - થાય છે તે તે માસવૃદ્ધિ કહેવાય છે. વૃદ્ધા તિથિમાં જેમ પ્રથમા તિથિને તે તિથિના નામથી અંકિત કાર્યોને માટે ગ્રહણ કરાય નહિ, તેમ માસવૃદ્ધિના પ્રસંગમાં પ્રથમ માસને પણ તે માસના નામથી અંકિત કાર્યોને માટે ગ્રહણ કરાય નહિ. આ વિગેરે બાબતોથી “માસવૃદ્ધિ અને તિથિવૃદ્ધિને અંગે આરાધનાના નિયમમાં સમાનતા છે એ વાત સિદ્ધ થઈ જાય છે. ૭૨ ઉપરના પાઠમાં વૃદ્ધાતિથિ અને વૃદ્ધ માસના પ્રથમ અવયવરૂપ પ્રથમ તિથિને અને પ્રથમ માસને “નપુંસક” તરીકે જણાવીને પિતતાનાં નામાંકિત કાને માટે અસમર્થ જણાવેલ છે. આથી આઠમા મુદ્દામાં “વૃદ્ધિના પ્રથમ માસને અને પ્રથમા તિથિને નપુંસક કહેવાય કે નહિ ?” એવો જે પ્રશ્ન છે તેને ઉત્તર પણ મળી રહે છે. અને નવમા મુદ્દામાં “જે નપુંસક તિથિ પિતાનું ફળ એ વર્ગના પાઠનું શુદ્ધ સ્પષ્ટીકરણ પાઠ ૨૧ ૨ જો સંપૂર્ણપણે અવયવવાદ માની તેના ઉપર નિર્ભર રહેવામાં આવે તો સંપૂર્ણ પહેલી તિથિ અને પહેલા માસને નપુંસક ગણને અસમર્થ ગણવું, (અર્થાત નપુંસક કહ્યા છતાં એકમાં માનવું ને બીજામાં ન માનવું) તે વ્યાજબી નહિ કહી શકાય. કેઈપણ નપુંસક પુત્રની ઉત્પત્તિ માટે નપુંસક ગણાય અને પુત્રીની ઉત્પત્તિ માટે નપુંસક ન ગણાય તેમ કહી શકાય નહિ, ( અર્થાત્ અવયવવાદીએ, બે સરખા અવયવ સિદ્ધ કર્યા પછી એક અવયવમાં નપુંસકતા ઠરાવવી તે પદાર્થ પ્રતિપાદન શેલીને અનુકુળ ન ગણાય, પ્રતિબંધી ન્યાય અગર અભ્યપગમ સિદ્ધાંત એ જુદી ચીજ છે. એ વ પૌષધ આદિને તિથિપ્રતિબદ્ધ તે માનેલાજ છે. અને તેથી તિથિવૃદ્ધિ વખતે તેઓની ફરજ તેઓએ માનેલી પહેલી તિથિએ પૌષધ નિષેધ કરવાની ન રહે, તેમજ માસવૃદ્ધિ વખતે પહેલો મહિનો ચોમાસી તપના મહિનાના ઉપવાસ વિગેરેમાં ઉપગમાં લેવાનો નિષેધ કરવાની રહે, વરસી છમાસી કે ચોમાસી તપ કરનારને વચમાં માસવૃદ્ધિ આવે તો પ્રથમમાસને નપુસક ગણું તેને અવગણવાનું બનતું નથી. અર્થાત તેમાં તેનું તપ અને ક્રિયા અનુષ્ઠાન કરવા જ પડે છે. તેમજ માસ અને પડવા આદિ તિથિપ્રતિબદ્ધકાર્યોમાં પણ નપુંસકતા ગણવામાં આવી નથી. ૧ જે એકાંત અવયવવાદ માનવામાં આવે તો પર્વવૃદ્ધિ વખતે પહેલી તિથિ પણ પર્વતિથિ હોઈ તે દીવસે તિથિ પ્રતિબદ્ધ નિયમવાળાએ પૌષધ આદિ કરવા જોઈએ. અને જે એકાંતે પ્રથમ માસને નપુંસક ગણવામાં આવે તે વરસી તપ વિગેરેમાં માસ વૃદ્ધિ વખતે પ્રથમ માસની તપશ્ચર્યા જે થાય છે તે તે વર્ગે ન કરવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy