SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ જનસંઘ પિતાના આચરણથી કેવી રીતે કરે છે તે જણાવવાની જરૂર હતી. પરંતુ તેને જવાબ નહિં રજુ કરતાં જે ત્યાં પ્રસ્તુત નથી તેવું મનસ્વી વલણ અખત્યાર કર્યું છે. ખરી રીતે આ મુદ્દાના જવાબમાં સં. ૧૯૯૨ પહેલાં તપાગચ્છના તમામ આચાર્યો અને વળી આ. રામસૂરિજી પણ આ. સાગરાનંદસૂરિજી જે અર્થ કરે છે તે પ્રમાણે આચરણથી આ શાસ્ત્રનો અર્થ કરતા હતા તેવું સ્પષ્ટ જણાવવું જોઈએ પણ અહિં જણાવવામાં આવેલ નથી. આ પણ વ્યાજબી થયું નથી. (૯) પાને ૧૦મે (પાને ૨૬ મે) છ મુદા સંબંધમાં પચે જણાવેલ છે કે – પર્વતિથિ કે અપર્વતિથિ સર્વને આ ક્ષથે પૂર્વા નું ચરણ લાગુ પડે છે” આ પ્રમાણે પંચનું લખવું તે બરાબર નથી. કારણકે ઉપરનું ચરણ પર્વતિથિની વ્યવસ્થા માટે પર્વતિથિના પ્રસંગે વપરાયેલ છે. તેમજ શાસ્ત્રકાર મહારાજાઓનું પર્વતિથિની પેઠે અપર્વતિથિઓ આરાધના કરવાનું ફરમાન નથી. આમ છતાં પંચના કહેવા મુજબ પર્વ અતિથિ બનેની આરાધના માટે આ ચરણને ઉપગ કરવામાં આવે તે અપર્વતિથિના ક્ષયે આગલી તિથિએ અપર્વતિથિનું શું આરાધન કરવું તે નિર્ણત નથી. આ ઉપરથી સ્પષ્ટ છે કે પંચ ા પૂર્વાની વ્યાખ્યામાં આરાધના શબ્દને જે અધ્યાહાર કરેલ છે તે ઘટતો નથી પરંતુ શાસ્ત્રાનુલક્ષી પરંપરા મુજબ ક્ષય શબ્દ અધ્યાહારથી લે તે બંધ બેસે છે. (૧૦) મુદ્દો સાતમો–સાતમા મુદ્દામાં શ્રીપંચે ચૌદશ અને સંવછરી તિથિનિયત ગણાવ્યાં પણ શાસ્ત્રમાં આઠમ, ચૌદશ પૂનમ અને અમાવાસ્યાને ફરજીયાત તિથિઓ ગણાવવામાં આવેલ છે. અને તેનું આરાધન નહિ કરનારને પ્રાયછિત્ત ગણાવ્યું છે, તેની સાથે તેમણે આ મુદામાં લખેલ વાત સંગત થતી નથી. (૧૧) મુદ્દો આઠમ-અક્ષ પૂર્વી તિથિ વા વૃદ્ધ વ તથોરા' એ પદને અર્થ આચાર્ય સાગરાનંદસૂરિજી જે કરે છે તે બરાબર છે કે નહિ ? તે માટે આ વિવાદપદ ઉભું કરવામાં આવ્યું છે કે જે આ આખી ચર્ચામાં વધુ ઉપયેગી મુદ્દા તરીકે છે. પણ પ્રામાણિક રીતે જોતાં આ ચર્ચાના નિર્ણય માટે આ મુદ્દો જે રીતે મુકવામાં આવ્યું છે તે વ્યાજબી નથી. પ્રામાણિક નિર્ણય માટે મુદ્દાને આ રીતે મુકવે વ્યાજબી ગણાય, “થે પૂર્વ તિથિ #ાથ વૃદ્ધ વાર્તા તથોરા” આ ચરણને અર્થ સં. ૧૨ પહેલાં આ. સાગરાનંદસૂરિજી કરે છે તે પ્રમાણે દેવસુરતપાગચ્છમાં આચરણથી કરવામાં આવતો હતો કે આ. રામચંદ્રસૂરિજી કરે છે તે પ્રમાણે કરવામાં આવતું હતું? અને આ બેમાંથી કયો અર્થ બરાબર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy