SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. પ્ર. પૂનમના ક્ષયમાં જેમ તેરસને ક્ષય કરાય છે તેમ ભાદરવા શુદિ ૫ ના ક્ષયમાં ભા. શુ. ૩ નો ક્ષય ન કરી શકાય ? ઉ૦ પૂનમના ક્ષયમાં તેરસનો ક્ષય કરવાની રૂઢિ પણ નિરાધાર છે, તેમ કરવામાં કોઈ પણ શાસ્ત્રનો આધાર નથી, વલી પંચમીના ક્ષયમાં તેનો તપ પૂર્વતિથિમાં કરવાને શ્રી હીરપ્રશ્નમાં લેખ છે, તે ભાદરવા શુદિ ૫ મી ના સંબંધમાં જ છે, માટે ભા. શુ. ૫ ના ક્ષયમાં ૩ નો ક્ષય કલ્પવો તે નિરાધાર છે. પ્ર. પૂનમના ક્ષયમાં તેરસને ક્ષય કરવાનો શ્રી હીરપ્રશ્નમાં લેખ હોવાનું શ્રી સાગરાનન્દસૂરિજી કહે છે તે શું સાચું ર૧ નથી ? ઉ૦ સાગરજીનું તેમ કહેવું બરાબર નથી, કેમકે શ્રી હીરપ્રશ્નમાં પૂનમના ક્ષયમાં પૂનમને તપ તેરસે કરવાનું તો લખ્યું છે પણ તેરસને ક્ષય કરવાનું લખ્યું નથી. પ્ર. ભાદરવા શુદિ ૫ ના ક્ષયમાં ભા. શુ. ૪ ના દિવસે સંવછરી કરાયાના દાખલા છે ? ઉ૦ સંવત ૧૯૫ર ની સાલમાં શ્રીધરના ચડૂ પંચાંગમાં ભાદરવા શુદિ પ નો ક્ષય હતો, આ ઉપરથી ભરૂચનિવાસી શેઠ અનુપચંદ્રભાઈએ શ્રી વિજયાનન્દસૂરિજી (આત્મારામજી) મહારાજને પત્રકાર પૂછાવેલ કે “ આ વખતે ભાદરવા શુદિ ૫ નો ક્ષય છે તે તે કાયમ રાખવો કે પંચમીને ખાતર પર્યુષણનો દિવસ ફેરવવો” અનુપભાઈના આવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી આત્મારામજી મહારાજે લખ્યું કે પર્યુષણનો દિવસ બદલવા કરતાં પંચમીનો ક્ષય માનવો સારો છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy