SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ શકે છે, પણ ગયા વર્ષે જેઓએ ચોથ-શનિવારે સંવછરી કરી હોય તેઓ આ વખતે ગુરુવાર–પંચમીએ પર્યુષણું કરી ન શકે, જેમ પાંચમથી છઠ ન થઈ, તેમ જ ચેથ કર્યા પછી પાછી પાંચમ પણ ન થઈ શકે, એજ કારણ છે કે ગયા વર્ષે રવિવારે સંવછરી કરનાર અનેક આચાર્યો આ વખતે ચોથ ને બુધવારે સંવછરી કરવાના છે, પણ ગયા વર્ષે શનિવારે સંવછરી કરનાર કોઈ પણ આચાર્ય આ વખતે ગુરૂવાર–પંચમીની સંવત્સરી કરનાર નથી. ૨. પ્ર. જેમણે ગુરૂવારી સંવછરી કરવી ધારીને માસધરનો દિવસ પાલ્ય હોય તેઓ પાછળથી બુધવારી સંવછરી કરવાનું ગ્ય લાગતાં તેમ કરી શકે કે નહિ ? ઉ. ગુરુવારના હિસાબે માસધર માનવા છતાં બુધવારે સંવછરી કરવામાં કઈ જ હરકત નથી, માસધર તો માસક્ષમણના તપને માટે ખાસ વિચારવાનું છે, તેથી જે કોઈએ ગુસ્વારના હિસાબે માસક્ષમણ કર્યો હોય તો તે ગુરુવાર–પંચમીને ભેગી લઈને પૂરો કરે, અને શુક્રવાર અને બીજી પંચમીના દિવસે પારણું કરે, પણ સંવછરી પ્રતિક્રમણ વિગેરે તે ચોથ-બુધવારે જ કરે, કારણ કે શ્રી કાલિકાચાર્યના સમયથી જૈનસંધ ચોથે જ સંવછરી કરતો આવ્યો છે, અને અંચલગચ્છ, પાયચંદ્ર અને સ્થાનકવાસિઓ સિવાય હજી સુધી એથે જ કરે છે, થે સંવછરી કરનાર સંઘમાં મુખ્ય તપગચ્છ અને ખરતરગચ્છ છે, ગયા વર્ષે માસવૃદ્ધિના કારણે ખરતરગચ્છ મહીના પૂર્વે સંવછરી કરી હતી, પણ આ વર્ષે તો બુધવારે જ કરવાને છે. તપાગચ્છમાં પણ જેઓ વિચારશીલ અને સંવ છરી સંબધી પરમ્પરાના અનુભવિઓ છે તેમણે ચોથ-બુધવારે જ સંવછરી કરવાનું જાહેર કર્યું છે, જેથી ઘણે ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy