SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપરથી તપાગચ્છની દેવસૂરિ શાખાના તત્કાલીન આચાર્ય શ્રી વિજયધરણેન્દ્રસૂરિજીના મનમાં તર્ક ઉત્પન્ન થયે કે–પર્યુષણમાં જે એકમની વૃદ્ધિ માનીયે તો પર્યુષણ તેરસે બેસાડવા પડે, બીજે દિવસે ચૌદશ અને ચોથે દિવસે પહેલી એકમે કલ્પ વાંચવો પડે, ત્યારે વડા કલ્પનો છઠ કેવી રીતે કરવો?,” યદ્યપિ આવા પ્રસંગે છઠ કેમ કરે તે શ્રી હીરસૂરિજીએ શ્રો હીરપ્રશ્નમાં ખુલ્લું જણાવેલ છે, છતાં યુવક શ્રી પૂજ્યને તેની ખબર ન હશે એટલે ઠેકઠેકાણે દેશાન્તારમાં રહેતા તપાગચ્છના યતિયોને પત્ર લખીને એ વિષયમાં તેમની સંમતિ મંગાવી, આ ઉપરથી ઉદયપુરના માસી યતિજીએ શ્રી પૂજ્યજીને લખ્યું કે “પયુષણમાં બે પડવા હોય ત્યારે તેરસ કરવી એવી આપણી પરંપરા છે” પેતાના કથનની પુષ્ટિમાં યતિજીએ જણાવ્યું કે “ શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી વિરમગામ ચેમાસું રહ્યા તે વર્ષમાં બે પડવે હતી અને શ્રી રાજનગરથી ૫. રૂપવિજયજીએ કાગળથી પૂછાવતાં શ્રીજીએ તેમને બે તેરસો કરવા જણાવ્યું હતું.” એ પછી શ્રી ધરણેન્દ્રસૂરિજીએ મુંબઈના માસી પં. રૂપસાગરજીની સંમતિ લઈને ગામ ગામ અને નગર નગર તપાગચ્છના ઉપાશ્રયમાં રહેતા યતિયો અને સાધુઓ ઉપર પિતાની આજ્ઞાપત્રો મેકલીને જણાવ્યું કે “આગામો પર્યુષણમાં બે પડવા છે તેને બદલે તહારે બે તેરો કરવી’ સામાન્ય યતિઓ અને સાધુઓએ જ નહિ પણ શ્રી રાજનગર (અમદાવાદ)ના પ્રસિદ્ધ ચાર ઉપાશ્રયમાં રહેલા પ્રતિષ્ઠિત સાધુઓએ પણ શ્રી પૂજ્યની આ વિચિત્ર આજ્ઞાનું પાલન કર્યું હતું એમ તેમના જ બીજા હેડબિલથી જણાય છે અને સાગરગચ્છના શ્રી પૂજ્ય શાંતિસાગરજીના હેડબિલથી તેનું સમર્શન થાય છે. શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરીજીની ઉક્ત આજ્ઞા સં. ૧૯૨૮ ના પર્યુષણ પહેલાં થોડા જ દિવસો અગાઉ નિકલેલ એટલે તેનો જાહેર વિરોધ કરવાને કોઈને અવકાશ ન મલ્યો, પરંતુ બીજા વર્ષે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001757
Book TitleParvatithi Charcha Sangrah
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherK V Shastra Sangrah Samiti Jalor
Publication Year1937
Total Pages122
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tithi, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy