SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાનું વાતાવરણ દિલે સાફ કરવાની જરૂર છે. મુનિસંમેલનની સફળતામાં જે જે વિ જણાતાં હોય, એ વિનિને સૌથી પહેલી તકે સુધારી લેવાની જરૂર છે. અને તેની જ સાથે સાથે સંમેલનના કાર્યકર્તાઓએ વર્તમાનપત્રો દ્વારા પોતાની સફાઈ કરી લેવાની જરૂર છે. બેશક, એ ખરું છે કે કેટલાક એડોક્ત વિચરનાર અથવા થોડાક સામાન્ય સાધુઓ મુનિસંમેલનની તારીખ પહેલાં અમદાવાદ પહોંચશે, એમ ધારીને કે સંમેલન થશે કે નહિ થાય, એનું ફારસ તે જોવા મળશે. પરંતુ એમના પહોંચવા માત્રથી કાર્યકર્તાઓએ રાજી થવાનું નથી; જ્યાં સુધી કે સાધુ સમાજના ખાસ ખાસ અગ્રગણ્ય સાધુઓ ન આવે, જ્યાં સુધી કે જેઓ જેઓની વચમાં વૈમનસ્ય છે, તેઓ ન આવે ત્યાં સુધી સંમેલનના મુકરર થયેલા દિવસે સંમેલન નજ ભરી શકાય. અને સંમેલનના ખાસ દિવસ સુધીમાં નહિ આવેલા મુખ્ય મુખ્ય પુરુષોને સમજાવવા દેદેડા કરવી, દિવસે લંબાવતા જવું, એનું પરિણામ એ પણ આવશે કે અમદાવાદ જેવા શહેરમાં ભેગા થયેલાં સાધુ-સાધ્વીઓનાં ટોળાં આધાકમી આહાર, આધાકમીં પાણી લઈ લઈને આત્માને ભારે કરવાનાં અને ઠેલામાતરાની અગવડતાના ભોગ બની ગંદકીમાં સડ્યાં કરવાનાં. એક બીજી વાત, ખાસ કરીને ધ્યાનમાં રાખવાની છે. અને તે એ કે આ સંમેલન સર્વ પક્ષીય સંમેલન થવું જોઈએ. નાના કે મે એક પણ સમુદાય બાતલ રહે, અને સંમેલન ભરાય, તે એની કિંમત કેડીની પણ ન ગણાય. આ સંમેલન કંઈ કાઈપણ એક પક્ષે પિતાની સત્તા જમાવવા ४७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy